________________
મજૂરીને અણગમે મિ. બન્ડ રસેલને પણ એ જ મત છે. માનવતાની દષ્ટિએ યાંત્રિક મજૂરી પ્રત્યેના તેમના ધિક્કારને, અમીર-ઉમરાવ વર્ગના લોકોના મજૂરી પ્રત્યેના અણગમાથી ભાગ્યે જ જુદો પાડી શકાય તેમ છે. જે મજૂરી આજના યંત્રોદ્યોગી સમાજના જીવનની જરૂરિયાતો પૂરી પાડે છે, તેને માટે તે “ગદ્ધાવૈતરું? એ સિવાય બીજું કશું જ સારું નામ શોધી શક્યા નથી. તે લખે છે, “આજના યંત્રોદ્યોગી સમાજમાં માણસને ભાગે જે કામ કરવાનું આવે છે, તે કામ કરવાનો ભાગ્યે જ કોઈને ઉમળકો થાય. દરેક જણ પગાર માટે જ કામ કરતો હોય છે; તે કામ તેને ગમતું હોય છે તે માટે હરગિજ નહીં. અને જે યાત્રિક ઉદ્યોગે જ કાયમ રહેવાના હેય, તો જરૂરી કામકાજને માટે ભાગ આનંદમય કરી શકવાની આપણે આશા રાખવી એ ફેગટ છે. બહુમાં બહુ તો આપણે તેનું પ્રમાણ ઘટાડી શકીએ; અને એ પ્રમાણ ઘણું જ ઘટાડી શકાય તેમ છે, એ વાતમાં કશી શંકા નથી. જીવનની જરૂરિયાત ઉત્પન્ન કરવાને આવશ્યક હોય તેટલી ઓછામાં એ છી હદે યાંત્રિક મજૂરીના કલાકે ઘટાડી નાખવા, અને બાકીના કલાકને કઈ પણ પ્રકારના અંકુશ વિનાના કરી મૂકવા, એ જ આપણું ધ્યેય હોવું જોઈએ. માણસોનો મોટો ભાગ રોજના ચાર કલાક જેટલું ગધ્ધાવૈતરું કાંઈ ખાસ નુકસાન વિના સહન કરી શકે; અને કદાચ ચાર જ કલાકનું કામ કરવાની બધાને જરૂર પણ રહેશે.” એટલે કે, મિ. બર્ટાન્ડ રસેલ જે જાતને
સમાજવાદ” ઉપદેશે છે, તેની હેઠળ તેટલા કલાકનું ગધ્ધાવિતરું કરવાની દરેક માણસને જરૂર રહેશે. ' અર્થાત્ મિ. રસેલના નુસખામાં રોજનું ચાર કલાકનું ગદ્ધાવૈતરું અને બાકીના વીસ કલાકની નિરંકુશતા છે. ચાર કલાકના ગધ્ધાવૈતરાની બાબતમાં તે હું મિ. રસેલથી પણ
સ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org