________________
૯૮
સર્વોદયની જીવનકળા પ્રમાણે જ્યારે કામકાજની દુનિયામાં આવી અફસોસકારક પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે બીજી બાજુ રમતગમતના મેદાનમાં કુશળતાની પડતી નથી થઈ ઊલટે તેને વધારે તેમ જ ફેલાવે થતો ચાલ્યા છે. કારખાનાંમાંથી હાંકી કાઢેલી કુશળતાને રમતગમતનાં મેદાનમાં કંઈક આશરે મળે છે. આમ તેને માટે આશરે હયાત રહે, અને તે અનેકને માટે ખુલે છે, એ વસ્તુ નૈતિક દૃષ્ટિએ આશાસ્પદ છે. કારણ કે, કોઈ પણ બાબતમાં કુશળતાને જેટલા પ્રમાણમાં ખીલવવામાં આવે, તેટલા પ્રમાણમાં સાથે સાથે મન કે શરીરનું સંયમન પણ સધાય જ છે; અને એ વસ્તુ તે સ ના પાયારૂપ છે. તે માટે આપણે ઈશ્વરનો પાડ માનીએ તેટલે ઓછા છે.
“તમે નીતિવચનનો કે ખ્રિસ્તી વિધિનિષેધનો અનાદર કે ભંગ કરે છે, એમ કહીને આજે ભાગ્યે જ કોઈને પાપભીરુ બનાવી પશ્ચાત્તાપ કરાવી શકાય છે. પણ, “તેં ખેલદિલી ન બતાવી” એમ કહેવાથી તો તમે તેના સ્વમાનને સેંસરું વીંધી નાંખી શકે. અને મેં જોયું છે કે, નાગરિક સદ્ગુણોને વ્યવહારુ નમૂને બતાવવો હોય છે, ત્યારે હાડીઓની હરીફાઈમાં કે ફટલના મેદાનમાં પોતાના પક્ષના માણસે સાથે એકદિલીથી પ્રેરાઈને પોતાનું સર્વસ્વ કરી છૂટવાની વસ્તુનો દાખલો પસંદ કરવા તરફ ભલભલા ફિલસૂફ પણ વળે છે. જોકે તેઓએ પોતે તે લાંબા વખતથી વ્યાયામનું ક્ષેત્ર છેડીને, ઓછી અંગમહેનતવાળું બીજું ક્ષેત્ર સ્વીકાર્યું હોય છે. સામુદાયિક હિત માટે પિતાની જાતને ભૂંસી નાખવાના, એકબીજાને પરસ્પર મદદ કરવાના, વગેરે દેવી સિદ્ધાન્તનું સૌથી નજીકનું ઉદાહરણ આપણને રમતગમતના મેદાન ઉપર જ મળે છે. આજે યે નીતિશાસ્ત્રી કબૂલ નહિ કરે કે, અંચઈ ન કરવાની બાબતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org