________________
વધારેમાં વધારે લોકોની વધારેમાં વધારે કુશળતા ૭ ઉપલા બધા વર્ગો પર થાય છે. ખાધેપીધે સુખી ગણાતા અને કામકાજ વિનાના વર્ગોમાં તેનું જોર ખાસ હોય છે. એ વેપારીઓમાંના ઘણા તો એ રીતે પિતાની “સૌદર્યવર્ધક બનાવટો” વાપરનારને કાયમની ખૂબસૂરતીની “ગેરંટી આપવાની, તથા તેમને શરાબ કે સિગારેટ ખરીદનારને
સ્વર્ગીય આનંદ” (કે જેનો સ્ત્રી સાથેનો સંબંધ યોગ્ય ’ ચિત્ર દ્વારા સૂચવાયેલો જ હોય છે) મળવાની “ગેરંટીની જાહેરાત દ્વારા જ પૈસાદાર તથા કામકાજ વિનાના થયા હોય છે, એ વળી તેની ખાસ અર્થસૂચક બને છે.
એ બધાને સામટો વિચાર કરીએ તો આપણે કહેવું ઘટે કે, લેકમાં ખવાઈ ગયેલી કુશળતાને તેમના બધા ધંધાઓ કે તેમની બધી પાયરીઓમાં પાછી દાખલ કરવી એ વસ્તુ જ આપણા સમાજ ઉપર ઝઝૂમી રહેલી અધોગતિમાંથી બચવાને ખાતરીબંધ અને ખરેખર એકમાત્ર ઉપાય છે. અને બધા રાજકીય આગેવાનોને, કેળવણીકારોને, માનવપ્રેમીઓને, અને તેવા જ બીજા પરોપકારી લેકોને (ભલે પછી તે કાર્યકર્તા વર્ગના હોય કે વ્યાખ્યાનકર્તા વર્ગના હેય) આજનો જમાને એ જ કામ ખાતે નોતરે છે. અને પિતાના નામને સાચે અર્થ સમજનારી કોઈ પણ મજૂર-હિલચાલે પણ એ જ કામ લાગતું હાથમાં લેવું જોઈએ.
આમ, આજે યંત્રોદ્યોગી કહેવાતા જમાનામાં એક બાજુ તવંગર કે ગરીબ તમામ કેટીના કારીગર-વર્ગમાં ( ઉપર નેધેલા કેટલાક અપવાદ સિવાય) કુશળતાને ખેદજનક વિનાશ દેખાય છે; અને જેમને કશી કુશળતા હવે ખેવાની બાકી નથી તથા કાંઈ પણ કુશળતા કદી મેળવવાની આશા નથી, એવા લોકોના ટોળેટોળાં જગતમાં ઊભરાવા લાગ્યાં છે. આ સ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org