SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળા સાંકળે' તોડતી જાય છે, પરંતુ બીજી બાજુ તે, “યંત્રની” ગુલામીની વધુ કારમી જંજીરે મજૂરે ઉપર જડાવા દે છે. આના જવાબમાં એવી દલીલ કરવામાં આવે કે, “મજૂરી દરમ્યાન મજૂરને ગમે તેટલી “યાંત્રિક” ગુલામી સહન કરવી પડતી હોય, પરંતુ મજૂરીના કલાકો ઘટાડવાથી તે ગુલામીને નહિ જેવી જ કરી શકશે, અને એ રીતે તેને સ્વતંત્ર મનુષ્ય તરીકે પિતાનો આધ્યાત્મિક વિકાસ સાધવા માટે પુષ્કળ અવકાશ રહેશે.” એ દલીલને હુ આગળ ઉપર વિસ્તારથી જવાબ આપીશ. અત્યારે તો એક જ વાત તમારા લક્ષ ઉપર લવું કે, યાંત્રિક મજૂરીમાંથી છેટેલા મજૂરને ગમે તેટલો સારે પગાર મળે હય, કે તેની મજૂરીના કલાક ગમે તેટલા ઓછા હોય, પરંતુ તે પિતાની ફુરસદને વખત પિતાને આત્મા ખિલવવામાં ગાળવાનું ” સહેજ પણ વલણ દેખાડશે નહિ; કારણ કે, તેના જીવનની મુખ્ય કિયા દરમ્યાન સધાયેલા તેની કુશળતાના નાશને કારણે, તે માટે ભાગે ભૂલી જ જાય છે કે, તેને ખિલવવા માટે કોઈ “આત્મા” છે. એટલું જ નહિ પણ તે કામ ઉપરથી છેટે થાય એટલે તરત જ, તેને મોજમજાના વિવિધ રસ્તા બતાવીને તેને પગાર અને તેની ફુરસદ બેઉ ઝૂંટવી લેવાની રાહ જોઈને બેઠેલા વેપારીએના હાથમાં જ તે પોતીકા પૈસા તેમ જ કુરસદને સોંપી દેશે. આ જાતના વેપારીઓ દ્વારા થતું શેષણ મૂડીદારોને હાથે થતા શોષણ કરતાં (ભલે પછી તે મૂડીદાર કોઈ વ્યક્તિ હોય કે સરકાર પોતે હોય) તેની સ્વતંત્રતાને વધુ મારક છે. પરંતુ તે પ્રત્યે મજૂરોના આગેવાનો લક્ષ જ આપતા નથી. જે જમાનામાં આમ-જનસમુદાયની કુશળતા ઓછી થતી ચાલે છે, તે જમાનાનું એ ભૂંડું તથા ખાસ એવું અનિવાર્ય લક્ષણ છે. તેની દષ્ટ તથા વ્યાપક અસર સમાજના નીચલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy