________________
સર્વોદયની જીવનકળા એકત્રિત થઈ જાય, એ અમુક અંશે અનિવાર્ય છે, દરેક ઉદ્યોગમાં કુશળતાની છેક ઉપરની હદ અને છેક નીચેની એવી બે હદ હોવાની જ; અને તે બે છેડાઓ વચ્ચે અનેક પગથિયાં પણ હોવાનાં. પરંતુ આદર્શ ઉદ્યોગ તે તેને કહેવાય કે જે છેક નીચલી કક્ષા સુધીના દરેક કામદારને, પિતાની વૈયક્તિક કુશળતા દાખવીને પોતાના રોજિંદા કામકાજને કીમતી. કેળવણરૂપ બનાવવા સારુ પૂરતો અવકાશ આપે.
એટલે, “મજૂર ઠીક ઠીક જીવનનિર્વાહ કરી શકે તેટલું મહેનતાણું તે તેને મળવું જ જોઈએ,” એવો આગ્રહ રાખવાની સાથે સાથે, અને કદાચ તેથી પણ પહેલાં, આપણે એવો આગ્રહ રાખવું જોઈએ કે, “તેને પિતાનું કામ કરતાં કરતાં ઠીક ઠીક રસ પડે તેટલી કુશળતા દાખવવાની તક મળવી જ જોઈએ. કારણ કે, તત્ત્વની દષ્ટિએ વિચારીએ તે, મહેનતમજૂરી મુખ્યત્વે અને ખાસ તે એક માનવધર્મ છે અને ત્યાર પછી ગૌણપણે જ પૈસા આપીને ખરીદી શકાય તેવી તે એક વેચાઉ ચીજ છે, અને એ પણ આ જમાનાની કરામને લીધે. માનવ કમ તરીકે તેની ખરી કિંમત તેને સારામાં સારી રીતે કરવામાં રહેલી છે; બહાર તેની જે કિંમત ઊપજે છે તેમાં નહિ. કિંમત ગમે તેટલી મોટી ગણવામાં આવે છતાં, પૈસા વડે મહેનતમજૂરીની પૂરી કે યોગ્ય મૂલવણી થાય જ નહીં. આ બધાનો અર્થ એ થયો કે, “કામના કલાકો ઓછા કરાવ્ય ને પગારમાં વધારે કરાવ્ય મજૂરોના “કેયડાને” કલ્પી શકાય તેવા કેઈ ઉકેલ મેળવી શકાય તેમ જ નથી; ખાનગી શેઠની જગા રાષ્ટ્રની સરકાર લે, તે પણ મુદ્દાની બાબતમાં કશો તફાવત પડતો નથી.
કેટલીક વાર એવી દલીલ કરવામાં આવે છે કે, ઉત્પન્ન થયેલી સંપત્તિમાં ન્યાયી હિસ્સ મેળવવાને મજૂરેનો હક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org