________________
વધારેમાં વધારે લોકોની વધારેમાં વધારે કુશળતા ૯૭ જોવા મળે છે, તથા તેની છાપ સામાજિક ઈતિહાસને પાને પાને દેખાઈ આવે તેવી રીતે પડેલી છે. પરતું તેથી તે વિચારસરણી સાચી ઠરતી નથી. અને કદાચ એમ પણ બને કે, આ વિચારસરણનું મિથ્યાત્વ જ્યાં સુધી સાર્વત્રિક રૂપે સ્વીકારાશે નહીં, ત્યાં સુધી માનવપ્રગતિની એક ભૂમિકા તરીકે આવેલ યંત્રોદ્યોગવાદ પણ ચરિતાર્થ થશે નહિ. માણસ પિતાની મજૂરીને શેઠ બનેલી સરકારને વેચે કે ખાનગી
વ્યક્તિને વેચે, પણ તેમાં માનવ દષ્ટિએ કશે જ ફરક પડતો નથી. જ્યાં સુધી મજૂર પિતે કે તેની મજુરી ખરીદનાર – ભલે પછી તે કોઈ પણ હોય – તે મજૂરીની કિંમત બજારમાં તેનું શું ઊપજશે એ ખ્યાલથી જ આંકે છે, ત્યા સુધી મજૂરી પાછળ માનવાર્થ ખોવાયેલો જ રહે છે અને તે મજૂરી મનુષ્યની કેળવણીનું મુખ્ય સાધન બની શકતી નથી. અલબત્ત, મજૂરીને ન્યાયસર મૂલવાય નહિ કે તેન એગ્ય વળતર ન આપવામાં આવે, તેના કરતા તેમ બને એ વસ્તુ જરૂર સારી છે; તેમ જ તે મજૂરી કઈ ખાનગી માણસને વેચાય કે જાહેર તંત્રને વેચાય તેમાં અવશ્ય કાંઈક ફરક પડે છે. પરંતુ મજૂરી કે ઉદ્યોગની સામાજિક દૃષ્ટિએ ખરી કિંમત એ કશામાં રહેલી નથી. માનવદષ્ટિએ તેની ખરી કિંમત તે, ઉદ્યોગ કરનારને જે પ્રમાણમાં કુશળતા દાખવવી પડે છે, અને તેને કારણે કુશળતાની જે વહેંચણી સિદ્ધ થાય છે, તેમાં રહેલી છે.
નૈતિક દૃષ્ટિએ, હું તો “માલની વહેંચણી કરતાં કુશળતાની વહેંચણી’ પર ખાસ ભાર મૂકું. યંત્રોદ્યોગવાદના દેષમાં, નિતિક દૃષ્ટિએ વિચારતાં, ધનસંપત્તિ છેડાક જ માણસેના હાથમાં જઈ પડે એ દેષ તો નાનો છે; પરંતુ ચેડા જ મા રુસેના હાથમાં કુશળતા જઈ પડે છે એ તેનાથી માટે દેષ છે. ધનસંપત્તિની પેઠે કુશળતા પણ અમુક સ્થળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org