SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળા વ્યાપવા માંડી છે કે, જીવનને આનંદ જિંદા કામકાજમાં રહેલ નથી, પણ તેની બહાર છે – જોકે, તે રોજિંદુ કામકાજ કરવામાં કુશળતા દાખવવાની હોય છે, ત્યારે આનંદ અવશ્ય નીપજે છે. અત્યારે તે આનંદને કામકાજથી બહારની વસ્તુઓમાં રહેલે માનવામાં આવે છેઃ કામકાજથી આપણને જે “મહેનતાણું મળે છે, – એટલે કે, આપણું ચાલત તે જે કામકાજ કરવા આપણે હરગિજ કબૂલ ન થાત તે કામ કરવા બદલ આપણને બદલા તરીકે જે પૈસા મળે છે, – તે પૈસા વડે ખરીદી શકાતી તૃપ્તિઓમાં આનંદ રહેલે માનવામાં આવે છે. યંત્રોદ્યોગ વડે જથાબંધ માલ ઉત્પન્ન કરવામાં પણ ઘણું કીમતી સામાજિક પાઠ શીખવા મળે છે. તે પાઠે બીજી કઈ રીતે શીખી શકાયા ન હોત, અને આગળનું પગલું ભરતા પહેલાં તે પાઠે માનવજાતિને શીખી લેવાની જરૂર પણ હતી, એ વાતની હું ના નથી પાડતો. પરંતુ દરમ્યાન એ વાત પણ ભૂલવી ન જોઈએ કે, કુશળતાનો આદેશ આપણા કામકાજની કલ્પનામાંથી વિસારે જ પડ્યો છે. કામકાજને હવે પૈસા ઉત્પન્ન કરવાનું સાધન ગણવામાં આવે છે. એટલે તેનું અચૂક પરિણામ એ આવ્યું છે કે, એ રીતે મેળવેલા ધનની વહેંચણીની તકરારેથી સમાજ છિન્નભિન્ન થઈ ગયું છે. એ તકરારોથી પણ આપણને આવશ્યક પાઠ શીખવા મળે છે, એમાં શંકા નથી. કારણ કે, કુદરતે જાણે એવો ધારે જ કર્યો લાગે છે કે, શાંતિનું ધામ વિખવાદના માર્ગે થઈને જ પહોચાવું જોઈએ. મજૂરીને બજારમાં ખરીદવા વેચવાની વેપારી ચીજ ગણવી, અને પૈસાથી તેની કિંમત આંકવી, એ વસ્તુ આપણું જમાનાની જ નવીનતા નથી, એ સાચું છે. એ જાતની વિચારસરણી ધરાવનારા અને આચરનારા લોકો આપણને દરેક જમાનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy