________________
સર્વોદયની જીવનકળા માલિક તથા અંતરાત્માન નિયંતા બનશે. કોઈ પણ “સારી સમાજવ્યવસ્થા” નાગરિક માટે સૌથી પ્રથમ તે વસ્તુ જ કરે; અને એ જ ન કરે, તે બીજું ગમે તે કરવા છતાં તેમાં કશે માલ નહિ હોય.
એ કુશળતા શી ચીજ છે? તથા તેનું લક્ષણ શું? મારી સમજ મુજબ, કુશળતા એટલે કાર્ય રૂપે અમલી બનતું ડહાપણ, પોતે જાણેલી બાબત કરી દેખાડી પરિપૂર્ણ બનતું જ્ઞાન, ઈચ્છાશક્તિ રૂપે કેળવાતી બુદ્ધિ. તે કાંઈ કેવળ બુદ્ધિની પૂરક ચીજ નથી; પણ કેવળ બુદ્ધિ પોતે જ અંદરથી વિકાસ પામીને કાર્ય ક્ષમ બની રહે છે. કેવળ બુદ્ધિ, જ્ઞાન ખાતર જ્ઞાન, કે ઋષિઓએ ગાયેલી પ્રજ્ઞા કે ડહાપણ—એમનો ભલે છાજે તેવો આદર કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી બુદ્ધિશક્તિ કાર્યક્ષમ ન બને, કે જ્ઞાન આચારમાં ન ઊતરે, તથા ડહાપણ કે પ્રજ્ઞા ડા કૃત્યમાં ન પરિણમે, ત્યાં સુધી માણસના આદરને પાત્ર થાય એવા પરિપૂર્ણ રૂપે તે મેજૂદ જ નથી. બુદ્ધિ, જ્ઞાન કે પ્રજ્ઞા તેટલી કક્ષાએ પહોંચે નહિં ત્યાં સુધી, તે ભૂગર્ભમાં દટાઈને પડી રહેલી કઈ વિચિત્ર આકારવાળી ચીજ કહેવાય; દુનિયાના પ્રકાશમાં હજુ તે જન્મ પામી નથી, તેમ જ ગૌરવ અને સત્તાભેર તે ખુલ્લામાં વિચરતી થાય એ ઘડી હજી આવી નથી, એમ જ કહેવું જોઈએ.
ડહાપણ, બુદ્ધિ, જ્ઞાન–સારરૂપે એક એવી આ ત્રણ વસ્તુઓ માત્ર મુખે ઉચ્ચારી, પુસ્તકમાં લખી, ઘરને છાપરેથી પોકારી, મુદ્રણાલયમાં છાપી, વ્યાસપીઠ ઉપરથી ઉચ્ચારી, કે શીખનારાઓએ ગોખી પાડી, એટલે અસ્તિત્વમાં આવી ગઈ એવું માનવાની ભૂલ કોઈ ન કરે. મનુષ્યની કેળવણીને ધળમાં મેળવનાર, કે તેની આધ્યાત્મિક પ્રગતિને અટકાવનાર તમામ ભૂલોમાં એના જેવી ગંભીર ભૂલ એકે હું જેતે નથી. કાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org