________________
કુશળતા સાંભળેલા કે પુસ્તકમાં વાંચેલા જ્ઞાનને હું ભવિષ્યમાં આવનાર વસ્તુના અગાઉથી પડેલા પડછાયા તરીકે જરૂર સત્કારીશ; પરંતુ જ્યાં સુધી “શબ્દ” મૂર્તિમંત ન બને કે “રાજકુમારી અંતઃપુરના ઓરડામાંથી બહાર નીકળી, નજર સામે આવીને પ્રગટ ન ઊભી રહે, ત્યાં સુધી તેની સાથે પ્રેમસંબંધ શી રીતે થાય?”
સીધી ભાષામાં કહીએ તે, આ બધાનો અર્થ એટલે જ થયે કે, જ્યાં સુધી કોઈ પણ કેળવણું કેળવાયેલાઓની કુશળતારૂપે પરિણમતી નથી, ત્યાં સુધી તે અધૂરી જ રહે છે. તેણે આપેલું જ્ઞાન અધકચરું છે; અને તેને પ્રાપ્ત કરનારને તે ઊલટું નુકસાનકારક નીવડવાનો સંભવ છે. ભલે પછી તે જ્ઞાનને વિષય વિજ્ઞાનવિદ્યા કે પ્રાચીનવિદ્યા હોય, સાહિત્ય હાય, દર્શનશાસ્ત્ર હોય, ઈશ્વર હેય, ધમ હોય, કે ગમે તે હોય. જે માથામાં એવું જ્ઞાન ઠાંસ્યું હોય કે જેને કોઈ પણ જાતના કળાકૌશલ્યમાં પરિણત કરવાનું પોતે કદી શીખ્યું નથી, તે માથું વસ્તુતાએ કોઈ પણ બાબતને પૂરી જાણતું નથી; જે વસ્તુઓ કદી હયાત જ નથી તેમની પ્રારંભિક દશા જ તે જાણે છે, અથવા તે એક વાર હયાત ચીજોનાં ભૂત જ તે ઓળખે છે. અફસેસ છે કે, એવાં ઘણાં માથાં આપણા વૃદ્ધ તેમ જ જુવાન વર્ગમાં આજે જોવા મળશે. અને મારા માનવા મુજબ, આપણે કેળવણીની પદ્ધતિનો મુખ્ય દોષ એ છે કે, તે એવાં માથાં વધાર્યો કરે છે.
અને ઉપરનું કથન જ્ઞાનને બદલે આપણે વિજ્ઞાનને લાગુ કરીએ તોપણ વસ્તુસ્થિતિમાં કશો ફેર પડતો નથી. વિજ્ઞાન તો પિતાનો “ઉગયેગ” શેધી કાઢીને જ કૃતાર્થ થાય છે, એ વાતની કોઈના નહીં પાડે. પરંતુ વિજ્ઞાનના સાચા ઉપયોગ શા છે? એ બાબતની ચર્ચા કરતી એક ચેપડીમાં ગંભીરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org