________________
કુશળતા હશે, તથા તેને મનુષ્ય બનાવનાર નૈતિક ગુણોનો ઉપયોગ કરવો પડયો હશે. “જો તારે મનુષ્ય થવું હોય, તે એ ધંધો પસંદ કર, કે જે તારી કુશળતાને પડકાર કરી, તારે સત્ત્વની કસોટી કરે.”—એ વાક્ય, કઈ પણ જુવાન નાગરિક પ્રાથમિક શાળામાં દાખલ થાય ત્યારથી માંડીને વિશ્વવિદ્યાલયમાંથી તે યશસ્વી રીતે ઉત્તીર્ણ થાય ત્યાં સુધી તેની નજર સામે રાખવા જેવું છે. અને “સહેલા ધંધાથી સાવચેત રહેજે, અને લુસીફરના પતનનો દાખલો યાદ રાખજે” – એ વાક્ય તેની અનુરૂપ પુરવણું બની શકે.
કેટલાક ધર્માચાર્યોની નજરે મારું કથન ભલે નરી નાસ્તિકતા જેવું લાગે, પરંતુ પ્રસ્તુત ચર્ચા અંગેની મારી ફિલસૂફીનો સાર હું કહી દઉં તો એ છે કે, વિશ્વમાં મનુષ્યનું સાચું કર્તવ્ય, કુશળતાના અસંખ્ય પ્રકારમાંથી એક યા બીજે પ્રકાર દાખવવાનું છે,અથૉત્ માત્ર “કર્મ કરવાનું નથી, પરંતુ કુશળતાપૂર્વક એટલે કે વીરતાપૂર્વક કર્મ કરવાનું છે. કાંઈ પણ કુશળતા દાખવવાની ન હોય, અથવા કુશળતા દાખવવી પડે તેવા કઈ પણ કાર્યમાં લાગવું પડે તેમ ન હોય, તે માણસ એક અધકચર, હીંગળાઈ ગયેલે, અને ખરેખર દુખી દયામણો પદાર્થ બની જાય. ભલે પછી તે મહેલમાં રહેતો હોય કે મજૂરની કંગાળ ચાલીમાં રહેતું હોય. તેવા માણસને પછી ગમે તેવી,– આર્થિક પ્રકારની કે રાજકીય પ્રકારની,–“સામાજિક પુનર્ઘટનાઓ” વડે તમે નહીં સુધારી શકે. પરંતુ તેનામાં કુશળતા દાખલ કરે – તેને કુશળતા દાખવવી પડે તેવા કેઈ પણ ધંધામાં નાખે, એટલે તમે તેને મનુષ્ય બનવાની સર્વોત્તમ તક આપશે; અર્થાતુ, આ જગતના વિસંવાદો બનવા દે તેટલે તે પિતાને નસીબનો
૧. ૬૦મા પાન ઉપર ઉલ્લેખેલો સેતાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org