________________
સર્વોદયની જીવનકળા આ શબ્દએ ગરીબ લોકોમાં ઊભી કરી છે. જુદા જુદા વાદેના બડાઈખોર પેગંબર પિતપિતાનાં યંત્રોની ચાંપ દબાવવામાત્રથી જ તેમની બધી આશાઓ પૂરી પાડવાનું માથે લેતા હોય છે. પરિણામે લોકોમાં કાળજીપૂર્વક કુશળતાથી કામ કરવામાં મચ્યા રહેવાની તથા કોઈ પણ સારું કામ કરવાની વૃત્તિ નાશ પામતી જાય છે. આપણા સામાજિક શબ્દકોશમાંથી આ શબ્દો દેશનિકાલ થઈ જાય એ તો સંભવ છે નહીં; પરંતુ અત્યારે તેમને જે અવિચારીપણે ઉપગ થાય છે તેના કરતાં તે તે દેશનિકાલ થઈ જાય, એ વધુ પસંદ કરવા જેવું છે. તે શબ્દોનો ઉપયોગ કરકસરથી કરવાનું સૂચવવાની હું ધૃષ્ટતા કરું છું. બહાદુર નાગરિકે એવું કબૂલ કરતાં કદી શરમાવું ન જોઈ એ કે, મારી પાસે મારા માનવબંધુઓને અર્પણ કરવા માટે “સામાજિક કોયડાનો ઉકેલ નથી. તેના કરતાં તે તેણે પોતાની કુશળતા, પોતાની કાળજી, પિતાનું ધેય, અને પિતાની પ્રામાણિકતા તેમને અર્પણ કરવાં જોઈએ.
અને હવે કદાચ આ બધા કેયડાઓના પંથ અને તેની જ સમાંતર ચાલતા “સુખની શોધ”ના પંથ વચ્ચે જે સંબંધ છે, તે આપણે સમજમાં આવતે જશે. એ બંને એવા જમાનાની પેદાશ છે કે જેમાં સ્થળ ભાવનાથી વિચાર કરવાની ઇંદ્રિય વધારે પડતી વિકસેલી છે, અને-કાળ-ભાવનાથી કરવાની ઇંદ્રિય ઠીંગળાઈ ગઈ છે. યંત્રશાસ્ત્રને ઊંચત એવી સ્થળ-ભાવનાની પદ્ધતિથી નિયંત્રિત થયેલી વિચારસરણીનાં એ બંને ઉદાહરણ છે.
બહુ મનુષ્યને સંતોષકારક એવી સમાજવ્યવસ્થાનું ચિત્ર તમે ઊભું કરવા ઈચ્છો – કે જે મુખ્યત્વે સ્થળ-ભાવનાનું કામ છે – તે તેને તમારે સુખના રંગથી રંગ્યા વિના છૂટકે જ નથી. તમારે માનવજાતિને એક એવી સુખી ક્ષણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org