________________
શોદના સાચા અર્થ
૭૫ ઝડપી લેવી જોઈએ કે જ્યારે બૅરેમિટરને પારે સમશીતોષ્ણતાના બિંદુ ઉપર આવ્યું હોય, આખા ભૂતળ ઉપર વસંતઋતુ છવાઈ હોય, સૂર્ય ઝળહળી રહ્યો હોય, ફૂલો ખીલી ઊઠયાં હાય, સર્વત્ર યૌવનનું સામ્રાજ્ય ચાલતું હોય, મહેનત-મજૂરી કે ભય-જોખમ હેય નહિ, મરણ સંતાઈ ગયું હોય, પ્રેમીઓ કર્લોલ કરતાં હોય, અને વેરીઓ ક્યાંય દેખાતા ન હોય. માનવજીવન જો કોઈ સ્થિતિએ જઈને અટકવાનું હોય તથા તે બિન્દુએ જ હંમેશને માટે કાયમ રહેવાનું હોય, તે કઈ ગાંડા માણસ જ તે કરતાં બીજે કઈ સ્થળે જઈને એ અટકે એવું
છે. તમારે જે ચિત્ર ચીતરવાનું હોય, તે તે “સંત” તમારે બને તેટલે સુખી જ ચીતરે રહ્યો. કેઈ યુદ્ધ આખો દિવસ ચાલ્યું હોય, તથા અનેક હારજીતના પ્રસંગમાં થઈને પસાર થયું હોય, તે પણ તેનું ચિત્ર ચીતરવા ઇચછનાર ચિત્ર કાર તે તે આખા પ્રવાહમાંથી જે ક્ષણને ખાસ અર્થસૂચક માનતો હોય તે ક્ષણને પસંદ કરે છે, અને આખા યુદ્ધને ત્યાં આગળ જ થંભાવી દે છે. અરે, શરૂ પણ ત્યાંથી જ કરે છે.
પરંતુ માનવ જીવન – વૈયક્તિક કે સામાજિક – કયાંય અટકતું નથી; પણ કારમાં દુઃખમાં થઈનેયે જે અદમ્ય જુસ્સાથી તે પસાર થઈને આવ્યું હોય છે, તે જ જુસ્સાથી તે ગાઢ આન દમાં થઈને પણ પસાર થઈ જાય છે, અને પછીની અવસ્થા તરફ – પછીના અનુભવ તરફ આગળ ઘપે છે. તેથી જ અંત વિષેનાં આ બધાં શબ્દચિત્રે અંતે આપણામાં કઈક ઊણપની ભારે લાગણી પેદા કરે છે. જઈ પહોંચવા માટેનું બિન્દુ કે લક્ષ્યસ્થાન કે જ્યાં જઈ પહોંચીને આપણે પકડાઈ જઈએ, સ્થિર થઈ જઈએ, કે બંધાઈ જઈએ, તેવું કોઈ સ્થાન કે સ્થિતિ આ લોકમાં કે પરલોકમાં નથી કે જેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org