________________
શદેના સાચા અર્થ
૭૩ (problem) અને “ઉકેલ” (solution ) એ બે શબ્દો પણ બાઈબલમાં નથી. એને કારણે જે કદાચ એ અદ્ભુત ગ્રંથ આટલે બધા મનોરમ અને મને વેધક થઈ શકળ્યો છે. એક મહાન ધર્મને જગતમાં પ્રવર્તાવવા માટે એ શબ્દોમાંથી કેઈની જરૂર નથી પડી, એ બીના આજકાલના ધર્મપ્રચારકોને ભેટ કરવા જેવી છે. પરંતુ, આજકાલ તે “કોયડો” અને
ઉકેલ” એ બે શબ્દ, ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રોમાંનું તેમનું મૂળ રહેઠાણ છોડી, બહાર ધસી આવ્યા છે અને દરેક માણસના શબ્દસંગ્રહમાં મુખ્ય શબ્દો બની ગયા છે. ઘડિયાળના ટકટક અવાજની પેઠે તે શબ્દ એટલા બધા ઘરગથુ બની ગયા છે કે, વર્તમાનપત્રનું પાન ઉઘાડતાં એક ફકરામાં “સ્ત્રીઓના વાળ “બેબ' કરાવવાને કોયડો” અને બીજા ફકરામાં “આધુનિક સંસ્કૃતિને કેયડો” એવાં મથાળાં નજરે પડે તે પણ લોકોને કશું વિચિત્ર લાગતું નથી.
આ પ્રમાણે વગર વિચાર્યું, જ્યાં ને ત્યાં, તથા દરેક દાખલામાં જુદા જુદા અર્થમાં એ શબ્દો વાપરવાથી, અને તે શબ્દોને કશો અર્થ જ ન રહે અને તેઓ ખાલી ઉચ્ચારણમાત્ર બની જાય એવો ભારે ભય છે. સોમાંથી નવ્વાણું દાખલાએમાં તેમની પાછળનું રૂપક માત્ર નામનું જ હોય છે. તેમને વાપર આપણી ભાષાને વિજ્ઞાનની નિશ્ચિતતા અર્પત લાગે છે, પરંતુ તેમાં એની નિશ્ચિતતાનું નિશાન સરખું હોતું નથી. કઈ વાર આપણે કોઈ વસ્તુની વિચિત્રતાથી નવાઈ પામી તેને કેયડ' કહીએ છીએ, તો કઈ વાર એ શબ્દ આપણા મનનું ખાલી પાણું જ વ્યક્ત કરતો હોય છે. સરવાળે એ શબ્દોની અસર ભૂંડી જ થઈ છે, અને એનું ભૂંડાપણું રોજ વધતું જાય છે.
પહેલાંના જમાનામાં લોકો પોતાના દુઃખના ઉકેલ માટે પેગંબરના આગમનની જેવી આશા રાખતા, તેવી આશાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org