________________
મુકદ્દમાનું ફળ
શિવુ ફરી કાંઈ બોલ્યો નહિ, સગાને હાથ પકડી થાણુના દરેગાને મળવા ચાલી નીકળ્યો.
ગંગામણિને સૌથી વધારે ગુસ્સો આવ્યો હતો દિયેર અને -નાની વહુ ઉપર. તે આ સંબંધે જરા બખેડે કરવાના હેતુથી કમાડને સાંકળ ચડાવી પેલે ફાચરો હાથમાં લઈ સીધી શંભુને આંગણે આવી ઊભી રહી. મેટે અવાજે બોલી, “કેમ રે દિયેર, છોકરા પાસે મને માર મરાવવો છે ? હવે બાપબે એકસાથે જેલમાં જજે.”
શંભુ હમણું જ તેના નવી વહુના છોકરાને લઈ ફળાર પૂરું કરી ઊભો હતો; મોટી ભાભીને દેખાવ તથા તેના હાથમાંને ફાચરો દેખી દિમૂઢ થઈ ગયો. બોલ્યો, “થયું છે શું ? હું તે કશું જ જાણતા નથી ”
ગંગામણિએ મોં બગાડી જવાબ આપ્યો, “હવે અજાણ્યા ન થશે. દરેગો આવે છે, તેમની પાસે જઈને કહેજે, કે કશું ય જાણો છે કે નહિ?”
નાની વહુ ઘરમાંથી બહાર આવી એક થાંભલાને અઢેલીને : ચૂપકીથી ઊભી રહી. શંભુ મનમાં મનમાં ભય પામી પાસે આવી ગંગામણિને એક હાથ પકડીને બોલ્યો, “મારા સમ, મોટાં વહુ, અમે કશું જ જાણતાં નથી.”
તેની વાત સાચી હતી, એ મેટી વહુ પિતે જ જાણતી હતી. પરંતુ તે વખતે ઉદારતા બતાવવાનો સમય ન હતો. તેણે શંભુના માથા ઉપર જ બધે દોષ નાખી મીઠું મરચું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org