________________
છબી
ભભરાવી ગયારામની કીર્તિ કહી બતાવી. એ છેકરાને જેઓ ઓળખતા હોય તેમને માટે એ વાત ન માનવી એ મુશ્કેલ હતું.
ડાબેલી નાની વહુએ આટલી વારે મોં ઉઘાડ્યું અને સ્વામીને કહ્યું, “કેમ, હું કહેતી હતી તે જ થયું કે નહિ ? કેટલી વખત કહ્યું, એ તોફાની લડધાને હવે ઘરમાં પેસવા દેશે નહિ, તમારા નાના છોકરાનું કદી ને કદી મારી ખૂન કરી નાખશે. પણ તે માને જ કાણુ, હવે વાત ખરી પડી ને ?” - શંભુ વિનંતિ કરતા ગંગામણિને કહેવા લાગ્યા, “મારા સમ, મોટાં વહુ, મોટાભાઈ સાચે જ થાણામાં ગયા છે ? ”
તેના કરુણ અવાજથી જરાક નરમ પડી મોટી વહુએ ભારપૂર્વક કહ્યું, “તમારા સમ દિયરજી, ગયા છે, સાથે અમારે પાંચુ પણ ગમે છે.”
શંભુ અતિશય ગભરાઈ ગયો. નાની વહુ સ્વામીને ઉદ્દેશીને બેલવા લાગી, “રોજ કહું છું દિદિ, કયાંક નદી ઉપર સરકારી પુલ થાય છે, કેટલાય લેક મજૂરીએ જાય છે, ત્યાં લઈ જઈ એને કામે લગાડી દો. તેઓ ચાબૂક મારશે ને કામ કરાવશે—નાસવા તે પામશે જ નહિ–બે દિવસમાં સીધો થઈ જશે. પણ તે નહિ, નિશાળે મૂક્યો છે ભણવા. એમનો છોકરો જાણે વકીલ મુખત્યાર થવાને ને!”
શંભુ દુઃખી થઈ બેલ્યો, “અરે ત્યાં નથી મૂક્યો તે કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org