________________
મુકદ્દમાનું ફળ દેવા જતે હતો, એટલામાં નાની વહુએ તલાવડીને આરેથી ઉતાવળે ઉતાવળે દોડી આવી સ્વામીને ખબર આપી. શંભુને પાણીને લેટે ક્યાં ય રહ્યો,-હાથમાં છેવાનું ક્યાં ય રહ્યું. તેણે હાહે કરી આખા મહિલાને ગજાવી મૂકી, ત્રણ કૂદકે આવી પહોંચી, એંઠા હાથે જ મોટી ભાભીએ જે કેટલાંક પાન ચૂંટેલાં હતાં તે છીનવી લઈ, ખૂંટ મારી નીચે નાખ્યાં; તથા સાથે સાથે જ તેના પ્રત્યે જે ભાષા-પ્રયોગ કર્યો, તે બધા તે બીજે ગમે ત્યાંથી શીખે છે, પણ રામાયણના લક્ષ્મણ-ચરિત્રમાંથી તો શીખે ન હતો, એટલું ચોક્કસ કહી શકાય.
આ બાજુ મોટી વહુએ રડતાં રડતાં ઘેર જઈ ખેતરમાં સ્વામીને ખબર મેકલાવી દીધી. શિવું હળ પડતું મૂકી, દાતરડું હાથમાં લઈ દોડી આવ્યો, તથા વાંસના ઝાડની નજીક ઊભા રહી અપ્રત્યક્ષ નાનાભાઈને ઉદેશી પોતાનું અસ્ત્ર વીંઝી, રાડે, નાંખી, તેણે એવી ધાંધલ મચાવી મૂકી કે લેકની ઠઠ જામી ગઈ. એટલાથી પણ તેનો ક્રોધ શમ્યો નહિ, ત્યારે તે જમીનદારને બંગલે ફરિયાદ કરવા ગયો, અને એવી ધમકી આપતો ગયો કે ચૈધરી મહાશય એને ન્યાય કરશે તે ઠીક છે; નહિ તે પોતે કચેરીમાં જઈ ફરિયાદ ન માંડે તે પોતાનું નામ શિવુ સામંત નહિ.
આ બાજુ શંભુ વાંસનાં પાન ઝૂંટવી લેવાનું કર્તવ્ય પૂરું કરી નિરાંતે હળ-બળદ લઈ ખેતરમાં ચાલ્યો ગયો હતો. સ્ત્રીનું કહેવું તેણે માન્યું નહિ. ઘરમાં નાની વહુ એકલી હતી. એ દરમ્યાન જેઠ આવીને બૂમ-બરાડા પાડી આખો મહોલ્લે સડક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org