________________
વિલાસી પકડવાનું બાનું મળ્યું છે, તેમ જ તેઓ જવા તૈયાર પણ થઈ ગયાં છે, કે તરત હું પણ એકદમ એમની સાથે જવા માટે કૂદી ઊઠયો. બચપણથી જ બે વસ્તુઓને મને ભારે શોખ હતો. એક તે ગોખરા-કેવટા * સાપ પકડીને પાળવાને અને બીજે મંત્ર સાધવાનો.
મંત્ર સાધવાને રસ્તે હજી મને જડથો નહતું, પરંતુ મૃત્યુંજય જેવો ગુરુ પ્રાપ્ત થવાની આશાના આનંદથી હું નાચી ઊર્યો. તે તેના નામજાદા સસરાને શિષ્ય હતા; એટલે પૂરેપૂરે ઉસ્તાદ હોવો જોઈએ ! વિધાતા આમ મારા પર અકસ્માત ખુશ થઈ જશે, એવું કેણે ધાર્યું પણ હોય ?
પરંતુ કામ મુશ્કેલ અને જોખમનો સંભવ, એટલે પ્રથમ તે બંનેએ ના પાડી; પણ મેં એવી હઠ લીધી કે એક મહિનાની અંદર મને ચેલે બનાવ્યા વિના મૃત્યુંજયને છૂટકે ન થયો. તેણે સાપ પકડવાનો મંત્ર તેમજ રીત મને શિખવાડી દીધાં, તથા કાંડા ઉપર ઔષધસમેત માદળિયું બાંધી દઈ ને રીતસરને ગારુડી બનાવી દીધો.
મંત્ર કે તે જાણે છો? તેને છેલ્લે ભાગ મને યાદ છે –
ઓરે કેવટા ! તું મનસાનું વાહન– મનસાદેવી મારી મા–
* ઝેરી સાપની જાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org