________________
છબી
રમતમાં જ તેઓને ઠેલીને ઉપર ન લઈ જઈ શકે ? ગામડાના પુરુષોની જે સુખ્યાતિનું વર્ણન કરતાં આજે પંચમુખ બની ગયો છું, તેનું માન શું એકલા તેમને જ છે? માત્ર પિતાને જેરે જ તેઓ આટલા જલદી અધોગતિને માર્ગે પડતા જાય છે ? ઘરની અંદરથી શું જરા જેટલે ઉત્સાહ કે જરા જેટલી મદદ નથી મળતાં?
પરંતુ જવા દે. આવેશમાં આવી જઈને કદાચ અનધિકારચર્ચા કરી બેસીશ. પરંતુ મારી મુશ્કેલી એ છે કે, દેશનાં ૯૦ ટકા સ્ત્રીપુરુષ આ ગામડાંમાં રહે છે, અને તેને માટે આપણે કાંઈક કરવું જ જોઈએ, એ વાત હું કેમે કર્યો ભૂલી શકતા નથી. પણ જવા દે. હું કહેતા હતા કે એને જોઈને કશું કહેશે કે એ પેલે જ મૃત્યુંજય છે, પરતુ મને તેણે આદરપૂર્વક બેસાર્યો. વિલાસી તળાવડીમાં પાણી ભરવા ગઈ હતી; મને જોઈ તે પણ ભારે ખુશ થઈ, વારંવાર બોલવા લાગી, ‘તમે વચ્ચે ના પડા હોત તે રાતે મને તેઓએ મારી જ નાખી હતી. મારે કારણે કોણ જાણે કેટલો માર તમે ખાધે હશે! ”વાતમાં ને વાતમાં ખબર પડી કે બીજે દિવસે જ તેઓ અહીં નીકળી આવ્યાં હતાં. ઘર બધી વાસ કરે છે, અને સુખમાં છે. “સુખમાં છે' એ વાત મને કહી બતાવવાની જરૂર ન હતી. ફક્ત તેમના મુખ સામું જોતાં જ હું એ સમજી ગયે હતા.
એટલે જેવું મેં સાંભળ્યું કે આજે ક્યાંક તેમને સાપ
ય
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org