________________
છબી
કે જાણે એ જ સ્થિતિ તેને સ્વાભાવિક હતી, જાણે એ સિવાય કાંઈ તેને કઈ રીતે શેભત નહિ. દરિદ્ર પણ કંગાલ નહિ. એક કુટુંબની વહુ કોઈ એક જણની બીમારીને કારણે જેમ કાઈ ખબર કાઢવા આવે એમ આવી હતી એથી વિશેષ લેશ પણ બીજો ઉદેશ હતો નહિ. સાંજ પછી સ્વામી જોવા આવ્યા ત્યારે હરિલક્ષ્મીએ કેટલીક વાત કર્યા પછી કહ્યું, “આજ પેલા ઘરનાં મઝલી-વહુને જોયાં.”
શિવચરણે કહ્યું, “કોને ? વિપિનની વહુને ?”
લક્ષ્મીએ કહ્યું, “હા, મારું સદભાગ્ય કે આટલા વખત પછી મને જાતે જ જોવા આવ્યાં. પરંતુ પાંચેક મિનિટથી વધુ બેસી શક્યાં નહિ, કામ છે કહીને ઊડી ગયાં.”
શિવચરણે કહ્યું, “કામ ? અરે એમને તે દાસી છે કે ચાકર છે ? વાસણ માંજવાથી માંડીને હાંલ્લી ઉતારવા સુધી– જરા તારી પેઠે સૂતાં સૂતાં આરામમાં દિવસ કાઢી તે જુએ ? એક લેટે પાણી સુધ્ધાં તારે તે જાતે લઈને વુિં પડતું નથી.”
પિતાને વિષે આ અભિપ્રાય હરિલક્ષ્મીને બહુ ખરાબ લાગે. પરંતુ એ શબ્દો તેની વડાઈ કરવા ખાતર જ ઉચ્ચારાયા હતા, નહિ કે તેની નિંદા કરવા એમ માની તેણે ગુસ્સો કર્યો નહિ. તે બોલી, “ કહે છે કે મઝલી-વહુને ગુમાન બહુ છે. ઘર છેડી ક્યાંય જતાં નથી ?”
શિવચરણ બોલ્યો, “ જાય ક્યાંથી ? હાથમાં એક બે ચૂડી સિવાય બીજું કશું જ નથી, શરમની મારી મેં દેખાડી શકતી નથી !”
- ૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org