SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તમે બેચેન અને વ્યાકુળ છો. તે બેચેનીની આગને ઠારવા માટે તમે થોડુંક પાણીરૂપે તમારા કહેવાતા સંસારના થોડા ભોગ આપો, પણ તેનાથી મનની આગ ઠરતી નથી. જેમ ભડભડતી આગ લાગી હોય ત્યારે, એક નાની ડોલ પાણી નાંખો તો છમ્ થઇને વરાળ થઇ જાય છે, પરંતુ તેનાથી આગ ઠરે નહિ; તેમ અનંત કાળથી જીવને મનમાં આવી આગ લાગી છે અને તેને તમે ભોગ અને વિષયો દ્વારા થોડી થોડી ઠારવા પ્રયત્ન કરો છો. જેમ એક માણસ ખૂબ દાઝેલો હોય, તેની પાસે દવાની નાની ટ્યુબ જ હોય, તો જયાં વધારે દાઝેલો હોય ત્યાં જ થોડી લગાડે. તેનાથી તેને થોડી રાહત થાય, પણ બીજે બળતરા ચાલુ હોય. આ તો ઘણા દુઃખમાંથી થોડું દુઃખ વિલીન થયું. બસ, તમારા બધા જ ભૌતિક સુખ માટે આ જ ગણિત છે. તમે જો ચોવીસે ક્લાક મનના ભાવોનું અવલોકન કરો, તો અંદરમાં કેટલી આગ છે, તમે તૃષ્ણાથી કેવા તરબતર છો, તેનું ભાન થાય, અને આમાંથી ન છૂટી શકીએ ત્યાં સુધી પૂર્ણ સુખ આપણા માટે દિવાસ્વપ્ર છે. દેહ-ઇન્દ્રિય-મનથી અતીત મોક્ષ એટલે સુખની પરાકાષ્ઠાની અવસ્થા : દરેક જીવનું અંતિમ લક્ષ્ય શું હોય છે? પરાકાષ્ઠાના સુખની પ્રાપ્તિ. પશ્ચિમના ધર્મોએ તો સાધનાના અંતિમ લક્ષ્ય તરીકે દેહ-ઇન્દ્રિયનાં સુખો જ બતાવ્યાં છે. તેમના કુરાન-બાઈબલ વાંચો તો તેમાંથી સારાંશ એ નીકળે કે ભૌતિક સુખ એ જ ખરું માણવાલાયક સુખ છે. ધર્મની સાધનાના અંતિમ ફળ તરીકે તેઓ સનાતન સુખનું ધામ હેવન કે જન્નત બતાવે છે, જયાં શરબતના જામ, અપ્સરાઓના મનગમતા ભોગ વગેરેની સાધકને સાધનાની ફલશ્રુતિરૂપે પ્રાપ્તિ થાય છે અને તેના શાશ્વત કાળ સુધી ભોગવટામાં લયલીન રહેવામાં જ કૃતકૃત્યતા દર્શાવેલ છે. પરંતુ તે ધર્મપ્રણેતાઓએ તત્ત્વ વિચારવામાં બહુ મોટી પાયાની થાપ ખાધી છે. પશ્ચિમના ધર્મોપદેશકો એટલું પણ સમજી નથી શક્યા કે દેહ-ઇન્દ્રિયના ભોગોની પ્રક્રિયા જ મૂળથી ડીફેક્ટીવ(ખામીવાળી) છે. ભૂખ-તરસ-વાસના-વિકારોરૂપી દુઃખની આગને આંશિક ઠારવા માટે છમ વડાં' જેવા આ ભોગો છે. આમાં પેરેલલ દુઃખની ધારા સ્ટોકમાં જોઈએ. મોક્ષમાં જો આત્માને દેહ-ઇન્દ્રિય અને મન વળગે તો દુઃખની હારમાળારૂપ ઉપાધિ જ ઊભી થાય. પરંતુ આ અનુભવસિદ્ધ સત્યને વિચારી ન શકવાથી તેઓએ દેહ-ઇન્દ્રિય અને મનયુક્ત મોક્ષનો સ્વીકાર કર્યો છે. જ્યારે ભારતના આર્યધર્મો સાંખ્ય, જૈન, બૌદ્ધ વગેરે કહે છે કે મોક્ષમાં દેહ-ઇન્દ્રિય-મન નથી. તેથી ત્યાં ભૂખ નથી, વિકારો નથી, સંતાપ નથી. મોક્ષમાં તેમણે માત્ર આત્માનંદ માન્યો છે, કામાનંદ માન્યો નથી. કારણ કામાનંદ તો ભડભડતી અગ્નિમાં થોડું પાણી નાંખી કિક ક ક ક ક ક ક ક ક ક * * * * * * * * * * ર ર છે જ * * * * * * * * * * * * * * * * * ૯૧ મનોવિજય અને આત્મશુદ્ધિ M-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy