________________
છમ' કરવા બરાબર છે. આર્યદેશના ધર્મોની દુનિયાને ખરી મોટી દેન હોય તો તે મોક્ષની ફીલોસોફી છે. મુક્તિના તત્ત્વનું વર્ણન બેનમૂન છે. જ્યારે પશ્ચિમના ધર્મો ચિંતનમાં ઊંડાણમાં ગયા નથી. તેમણે જોયું નહિ કે શરીર-ઈન્દ્રિય ભૂખની મોટી ખાણ છે, જ્યારે મન એ તૃષ્ણાથી વ્યાપ્ત છે; તેથી દેહ-ઇન્દ્રિય-મન દ્વારા મળતાં સુખને સાચું સુખ કહી શકાય નહિ. તેથી તેને સાચું સુખ માનનારા જીવનમાં આધ્યાત્મિક દૃષ્ટિ જ ભૂલ્યા છે.
દરેક માણસના દેહ સરખા નથી. દેહથી પેદા થતાં ભૂખ-તરસ-થાક પણ સરખાં નથી. બધામાં વેરીએશન(તફાવત) આવે છે. જેમ ઘણા સોળ રોટલી ખાય છતાં ટેટી જેવા હોય. જ્યારે ઘણા ત્રણ રોટલી ખાય તો પણ હટ્ટાકટ્ટા થઈને ફરતા હોય. તમારી દષ્ટિએ વધારે ખાય તો વધારે મજા કે ઓછું ખાય તો વધારે મજા ? હકીકતમાં તમે ભૂખને દુઃખ માનતા નથી અને ખાવામાં દુઃખનિરપેક્ષ સુખ માનો છો, એ જ તમારા મનની ભ્રાંતિ છે. જેમ બધાના દેહ કે દેહની ભૂખ-તરસ સરખાં નથી, તેમ બધાનાં મન કે મનની ભૂખ પણ સરખાં નથી. તમે તમારા મનનું અવલોકન કરો કે તે કેટલી તૃષ્ણાઓથી વ્યાપ્ત છે? તમારા મનમાં પરિણતિરૂપે કેટલી માનસિક ભૂખ છે, તેનું માપ કાઢવું પડે. દા.ત. તમને કોઈ પૂછે કે તમારે કેટલા માનપાનની ઇચ્છા છે? જો કે તેનું કોઈ ગણિત નથી. ચોવીસે કલાક તમે મન સાથે રહો છો, તેની તૃષ્ણાઓથી સતત રિબાઓ છે, એટલે જ્યારે કોઇ તમને માન આપે ત્યારે અંદર પ્રક્રિયારૂપે જે તૃષ્ણાઓથી તમે રિબાતા હતા તેમાં થોડો ઘટાડો થયો. તેથી રાહતરૂપેથોડો મજાનો અનુભવ થયો, પણ હજી અંદર મનમાં બીજાં માનપાન-પ્રશંસા આદિની ઘણી ભૂખ પડી છે. તેનો પુરાવો એ છે કે અત્યારે તમારાં વખાણ કરે તો તે જ તમને ગમે છે પણ નિંદા કરે તો ગમતી નથી, કારણ અંદરથી અર્જ પ્રશંસાની છે. તે જ રીતે બીજા જે ભાવો ગમતા હોય તે વિષયની મનમાં આવી જ ભૂખ છે એમ સમજવાનું. જેમ કે અંદર કામવાસના હોય છે, એટલે કામના પદાર્થ સામે આવે તો ગમે છે અને ભોગવતાં થોડી તૃપ્તિનો અનુભવ થાય છે. તે વખતે ટીપા જેટલી ભૂખ સંતોષાય છે, પણ સ્ટોકમાં દરિયા જેટલી ભૂખ પડી છે. મનની આગથી હું ભૂતકાળમાં ઘણો દાઝેલો છું, વર્તમાનમાં પણ દાઝી રહ્યો છું તેવું લાગે છે ખરું? ના, તમને તે દાહરૂપે દેખાતું જ નથી, કારણ તમારી સંવેદનશક્તિ મૃત થઇ ગઇ છે.
જેમ વગર સળગે ધૂપમાંથી સુગંધ નીકળે તેમ નથી, તેમ ભૌતિક જગતની પ્રક્રિયા એવી છે કે પહેલાં તમે વાસનાથી સળગો, પછી જ ભોગવતાં અંદરમાં સુખનો અનુભવ થાય. પશ્ચિમના ધર્મના લક્ષમાં તો માનવજાતને છોડીને પશુસૃષ્ટિની વિચારણા આવતી જ નથી. તેઓ માનવને જ સુખ-શાંતિ આપવા માંગે છે, પણ તે સુખ પણ કેવું? પહેલાં દઝાડીને પછી ઠારે તેવું. પણ તેઓ દાઝયા વગર મળતા સુખને સુખ તરીકે સમજયા જ નથી. જેમ માને કે
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org