SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ તમે દ્વેષ, ઇર્ષા વગેરેને કાબૂમાં કરવાની પ્રેરણા આપો અને બીજી બાજુ કહો કે કામ એ નેચરલ-કુદરતી છે, તો તે કેટલી બેહૂદી વાત કહેવાય ? સેક્સ એ બાયોલોજીકલ ડીમાન્ડ નથી પણ સાયકોલોજીકલ ડીમાન્ડ છે.(કામ એ શરીરની ભૂખ નથી પણ મનની ભૂખ છે.) તેને બાયોલોજીકલ ડીમાન્ડ(શરીરની ભૂખ) તરીકે સમજાવવી તે ભોળા સમાજ સાથેની છેતરપીંડી છે. માટે હૃદયમાં કોતરી રાખો કે કામ એ મનની જ ભૂખ છે; જેમ ક્રોધ-અહંકાર-પ્રશંસાની ઇચ્છા એ મનની ભૂખ છે. કોઇ દિવસ તમારા દેહ-ઇન્દ્રિયમાં લોભ જાગ્યો છે ખરો ? તેનું ઉદ્ગમસ્થાન કયું? મન જ. માટે બધી જ લાગણીઓ મનમાં જન્મે છે. ક્રોધ એ માનસિક ભૂખ છે. આ ભૂખ પેદા શેમાંથી થઇ ? તમારી અપેક્ષા એ છે કે બધા મને અનુકૂળ વર્તન કરે. બસ, તે તમારી અંદરની ભૂખ છે. હવે તમે જેને વ્યવહારમાં સારું માન્યું હોય તેવું વર્તન કોઇ ન કરે માટે તેના પર ગુસ્સો આવે. લોભ એ પણ એક મહાભૂખ છે. આ બધી મનની ભૂખ લાવારસની માફક ચોવીસે કલાક અંદર ધખતી હોય છે. ન તમે દુઃખોનો ડુંગર ચોવીસે કલાક સાથે લઇને ફરો છો. તે મન-ઇન્દ્રિય-દેહ દ્વારા સર્જાયો છે. સંસારમાં તમે તેને સંપૂર્ણ ઊલેચી શકતા નથી. માત્ર પુણ્ય હોય તો શરીરને કે ઇન્દ્રિયને થોડી તૃપ્તિ આપી શકો. પરંતુ જેનું પુણ્ય ન હોય તેવા માણસો રોજ અર્ધા ભૂખ્યા પણ છે. પશુમાં તો ભૂખ્યાની ઘણી જ મેજોરીટી છે. ત્યાં તેમને ભૂખ પ્રમાણે ખાવાનું જ મળતું નથી. તેમની શરીરની ભૂખને પણ તેઓ તૃપ્ત કરી શકતાં નથી. તમારું પુણ્ય હશે તો જીવનમાં તમે ઇન્દ્રિય અને શરીરની ભૂખને કદાચ સંતોષી શકશો, પણ મનની ભૂખને કદાપિ સંતોષી શકશો નહિ. સભા ઃ- સાહેબ ! ઇચ્છા એટલે શું ? સાહેબજી :- એ એક મનનો જ ભાગ છે. તેનો જ પેટા વિભાગ છે. મન એટલે ફક્ત ખાલી ઇચ્છાત્મક નથી. મન એટલે ડીપાર્ટમેન્ટલ સ્ટોર છે. જેમ તેના એક વિભાગમાં અમુક વસ્તુ મળે. તેમ મનના એક વિભાગમાં ઇચ્છા જન્મે છે. જે મનનો જ એક ભાગ છે. ઇચ્છાને કાંઇ દેહ-ઇન્દ્રિય પેદા કરતાં નથી અને ઇચ્છાઓ પાર વિનાની છે. માટે જ મનની ભૂખ સંતોષવી બહુ અઘરું કામ છે. જ્યાં સુધી મનમાં મોહના પરિણામ છે ત્યાં સુધી માનસિક ભૂખ છે. મનનું મારણ, મનનું મૃત્યુ, મનના દુ:ખ-સંતાપમાંથી મુક્તિ મેળવવી તેનું નામ જ વીતરાગતા છે. તમે તમારા હરીફની પડતી ઇચ્છો તો આ એક અંદરમાં રહેલો ઇર્ષ્યાનો દાહકારી પરિણામ છે. બધા માનસિક ભાવ એક પ્રકારની સંતાપદાયક ભૂખ જ છે. માટે ચોવીસે કલાક અંદરથી ૯૦ Jain Education International For Private & Personal Use Only ***** ******* મનોવિજય અને આત્મશુદ્ધિ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy