SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ બધું જ કામ લઇ શકે. આ તો તમને ઓપરેટ કરવાની એક માસ્ટર કી છે. ઘણાને તો બે શબ્દ પ્રશંસાના કહો તો એવા ખુશ થઈ જાય કે તમારું કામ આખો દિવસ બળદિયાની જેમ કરવા તૈયાર થઇ જાય, ગમે તેવી શરીરની મજૂરી કરવા પણ તૈયાર થાય; કારણ તમે તેની મનની ભૂખતૃપ્ત કરી. શરીર અને મનનું ઘણું જ ઇન્ટરકનેક્શન છે. શાસ્ત્રકારો અને વિજ્ઞાન બંને કહે છે કે તમારા મનને ચોવીસે કલાક શરીરની અસર થાય છે અને મનની ચોવીસે કલાક શરીર પર અસર થાય છે; બંનેનું ઇન્ટરકનેક્ષન છે. છતાં પણ વખાણ કરવાથી શરીર તૃપ્ત નથી થતું પણ મન જ તૃપ્ત થાય છે. કોઈ તમારું બહુમાન કરીને હારતોરા પહેરાવે તે વખતે રાજીપો થાય. તે કેમ થાય છે? કારણ મન ધરાયું છે માટે. સભા:- સાહેબ! વખાણ થવાથી ઇન્દ્રિયને(કાનને) તૃપ્તિ મળે છે. સાહેબજી:- તે વાત ખોટી છે. કારણ કે કાનને અનુરૂપ વિષય શું? મધુર ધ્વનિ. જે તમારાં વખાણ કરે તેનો અવાજ જો કર્કશ અને ઘોઘરો હોય તો કાનને તે ગમતો નથી, પણ તે વખતે મન તો ડોલવા લાગે ને? કાનની ભૂખ તો સંગીત કે મધુર અવાજ છે. કદાચ તમારો દુશ્મન પણ મધુર અવાજે ગાતો હશે તો તમારા કાનને તે ગમશે, પણ દુશ્મનનો મધુર અવાજ હોવા છતાં મનને તે નહિ ગમે; જ્યારે પ્રશંસા કરનારનો ઘોઘરો અવાજ હશે તો પણ મન ડોલવા લાગશે. જેમ લોભને કદી જીભની ભૂખ કહેવાય ? ના, તે તો મનની ભૂખ છે. તેમ પ્રશંસા, અહંકાર, માન-પાન તે એક ભૂખ છે. તે મનમાં પેદા થાય કે કાનમાં? જેમ ક્રોધ કંઈ શરીરમાં પેદા થાય ખરો? ના, ક્રોધ તો મનમાં જ પેદા થાય; માત્ર શરીર પર તેની અસર વર્તાય. મનોભૂમિના ભાવો જુદા છે. વર્તમાનમાં તમારી સ્કૂલમાં ભણાવે છે કે 'Sexis Natural Instinct', (કામ એ કુદરતી વૃત્તિ છે) પણ તે વાત સદંતર ખોટી છે. કારણ કે કામ એ શરીરનો વિકાર છે કે મનનો વિકાર છે? દુનિયામાં કોઈ એવો માણસ મળે કે જેને પહેલાં શરીરમાં કામનો વિકાર જાગ્યો હોય? કામ તો હંમેશાં પહેલાં મનમાં જાગે, પછી જ તેની અસર શરીર પર થાય છે; જેમ ક્રોધ જાગે છે મનમાં અને શરીર ઉપર અસર થાય છે. ક્રોધને તમે માનસિક લાગણી માનો છો કે શારીરિક જરૂરિયાત? ક્રોધ જેમ માનસિક લાગણી છે તેમ કામ પણ માનસિક લાગણી છે. હાઇ બી.પી.વાળાને ડોક્ટર કહેતા હોય છે કે હવે ક્રોધને કાબૂમાં રાખજો, નહીંતર દુ:ખી થવાનો વારો આવશે. એટલે માણસ સંકલ્પ દ્વારા ક્રોધને કાબૂમાં લઇ શકે છે, તેમાં પરિવર્તન લાવી શકે છે. જો ક્રોધની, માનની લાગણીઓને મનના સંકલ્પ દ્વારા કાબૂમાં લઈ શકો, તો કામની લાગણીને કાબૂમાં કેમ ન લઈ શકાય? એક બાજુ મનોવિજય અને આત્મશુદ્ધિ ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy