________________
કલ્પનાતીત છે. દા.ત. જેમ કોઇ પણ સ્વાદ ચાખો તો જીભ તૃપ્ત થાય, ખોરાક ખાઓ તો હોજરી તૃપ્ત થાય, પરંતુ સ્વાદનો સંગ્રહ કરવાની મનની ભૂખ તો કાયમ ભરેલી છે.
કામ, ક્રોધ, માન, માયા વગેરે મનની ભૂખના જ જુદા જુદા પ્રકારો છે. તેનું સ્વરૂપ આગવું છે. મન સ્વયં ભાવાત્મક છે, કારણ આંતરિક પરિણામ ભાવાત્મક છે. ભાવના ભાવવાથી પેટની ભૂખ દૂર ન થાય, તેને માટે તો આહાર જ આવશ્યક છે; જ્યારે જીભની આગ ઠારવા સ્વાદ સિવાય છૂટકો નથી, પણ તે ટેમ્પરરી રીલીફ(ક્ષણિક રાહત) છે. ખોરાક ખાઓ તો ચાર-પાંચ કલાક શરીરની ભૂખ દૂર થાય. પાચનની પ્રક્રિયામાં ખોરાક બળીને ખાખ થાય, પછી પાછી ભૂખ પ્રદીપ્ત થાય.
મન તો સળગતા અને ભારેલા અગ્નિ જેવું છે. અગ્નિ બે પ્રકારના છે. (૧) સળગતો અગ્નિ (૨) ભારેલો અગ્નિ. સળગતો અગ્નિ એટલે શું ? જેની આગ જલી રહી છે, અને ભારેલો અગ્નિ એટલે શું ? આગ જલતી નથી, પરંતુ ઇંધણ ભરેલું છે. એક ચિનગારી લાગે એટલી જ વાર, તરત ભડકો જ થાય.
તેમ મનના બે ભેદ છે. (૧) ઉપયોગમન અને (૨) લબ્ધિમન.
સળગતા અગ્નિમાંથી બહાર નીકળતી જ્વાળા એ ઉપયોગમનના કષાય છે. હવે આ સળગતા અગ્નિ પર રાખ બંધાઇ જાય, જેમ કોલસા-છાણા પર રાખ થઇ જાય પરંતુ અંદર સળગતા હોય, માત્ર તેનો ભડકો દેખાતો નથી; તેની જેમ લબ્ધિમનની પરિણતિઓ આ ઢાંકેલા અગ્નિ જેવી છે. કામ, ક્રોધ, માયા, લોભની પરિણતિ આ સળગતા પણ ઢંકાયેલા અગ્નિ જેવી છે. સળગતા પણ ઢંકાયેલા અગ્નિની જવાળા છે, તે લબ્ધિનમનની જ્વાળા છે; અને સળગતા અગ્નિની બહાર આવતી જ્વાળા છે તે ઉપયોગમનની જવાળા છે. જ્યારે યોગ્યતા અને સંસ્કારરૂપે જેટલા કષાયો લબ્ધિમનમાં પડ્યા છે તે બધા ભારેલા અગ્નિ જેવા છે. પરંતુ તમારું મન ચોવીસે કલાક માન, પાન, આદર-સત્કાર, પ્રશંસા, બહુમાનની અપેક્ષા રાખે છે તે માનસિક ભૂખ છે; તેમાં શરીર-ઇન્દ્રિયને સીધી લેવાદેવા નથી. તમારાં વખાણ કોઇ કરે તો શરીરની ભૂખ ભાંગવાની નથી કે મોઢાની તરસ મટવાની નથી. તેથી આ ભૂખ મનની જ છે.
સભા :- સાહેબજી ! તે વખતે મોં લાલ થઇ જાય.
સાહેબજી :- મોં લાલ થઇ જાય છે તે શેનું રીએક્શન છે ? મન સંતુષ્ટ થયું તેની લાલી છે, નહીં કે પેટની ભૂખ ભાંગી તેની લાલી છે. કોઇ તમારાં વખાણ કરે તો તમારું શેર લોહી ચઢે છે ને ? તમારી પાસે કામ કરાવવાની ચાવી કઇ ? જે તમને ફુલાવી શકે તે તમારી પાસેથી
८८
Jain Education International
For Private & Personal Use Only
******
મનોવિજય અને આત્મશુદ્ધિ
www.jainelibrary.org