SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પણ બીજા અનેક સંગીતશ્રવણની અતૃપ્તિ તો સ્ટોકમાં કાયમ રહે છે. રાજા-મહારાજા-દેવતાઓ કે ધન્ના-શાલિભદ્ર જેવા ભોગીઓની પણ આ જ સ્થિતિ હોય છે, તો બીજાની તો શું વાત કરવી ? નાકની ભૂખમાં પણ એ જ સમાન પરિસ્થિતિ છે. જેમ નાકે ગુલાબનું ફૂલ સૂંધ્યું, હવે ચમેલીનું ફૂલ આવે તો સારું, થોડાં અત્તર-સેન્ટ સૂંધ્યાં, ત્યાં વળી બીજી સુગંધ જોઇએ. એટલે જ રાજા-મહારાજાઓ ઊંચી સુગંધ મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચતા હતા. તમે અત્યારે કોઇ નવી સુગંધી વસ્તુ શોધી કાઢો તો અબજોપતિ થઇ જાઓ. વર્તમાન દુનિયામાં કોસ્મેટીક્સ અને પર્ફ્યુમ્સની બજાર જ અબજો ડોલરોનું છે. સુખી-શ્રીમંતો તેના તરસ્યા છે. બધા જ આ ભૂખની જલન લઇને ફરે છે. એકે-એક ઇન્દ્રિય ભૂખ્યા વરુ જેવી છે. પાંચે ઇન્દ્રિયો તેના વિષયો મળે તેમ ત્રાટકે, કારણ અંદર ખૂબ જ અર્જ છે. ઊંઘમાં પણ આ બધી અર્જુ ચાલુ છે. પરંતુ આ બધો ત્રાસ વેઠવાનો કોને ? આત્માને જ. તેનાથી આત્મા ‘ત્રાહિ મામ્’ પોકારે છે, જેમ મધમાખીઓ ચોટે અને માણસ કૂદકા મારે. કોઇને લાગે આ ગાંડો થયો છે. ઘડીકમાં અહીં ખણે ઘડીકમાં ત્યાં ખણે, તેની જેમ આ શરીર-ઇન્દ્રિય અને મનની ભૂખના ત્રાસથી આત્મા બેચેન અને આકુળવ્યાકુળ છે. છતાં તમારી કમનસીબી એ છે કે આ બધાને જ તમે સુખનાં સાધન માનો છો. એક એક ઇન્દ્રિયની ગંદકી પણ કેટલી છે? ક્યાંયથી સુગંધ નીકળે તેમ નથી. જેમ આંખમાંથી પીયા, ચામડીમાંથી પરસેવો, નાકમાંથી લીંટ, અરે કોઇ સારી વસ્તુ તેના સંબંધમાં લાવો તો તે પણ ગંદી થઇ જાય. દેહ-ઇન્દ્રિયનું સ્વરૂપ આ જ છે. જ દેહની ભૂખ કરતાં ઇન્દ્રિયની ભૂખ હજારો ગણી વિકરાળ છે. શરીરની ભૂખ તો તેની પાસે મામૂલી ગણાય. જીવનમાં તમને ઇન્દ્રિયનું સુખ મળ્યું તેમાં કારણ શું ? આ ચારનું કામચલાઉ નિવારણ કર્યું માટે સુખ મળ્યું. સંસારનાં બધાં સુખોના સરવાળા આ ચારના સમીકરણમાં જ સમાય છે, મહારાજા હોય કે દેવતા હોય. અનુત્તરના દેવતાઓને જે સુખ મળે છે તેમાં પણ આ ચાર જ કારણ છે. આંખો ધૂઓ એટલે ગંદકી દૂર થાય, તાજગીનો અનુભવ થાય, કારણ ગંદકીનું નિરાકરણ થયું. તેમ ચારેમાં આ રીતે ઘટશે. આના સિવાય ભૌતિકસુખનું બીજું કોઇ સ્વરૂપ બતાવી શકો તો અમે માનવા-સમજવા તૈયાર છીએ. પરંતુ વાસ્તવિક સ્વરૂપ આ જ છે. (૩) મનનું સ્વરૂપ : આપણો મુખ્ય વિષય મન છે. પણ તેની સાથે લીંક જોડવા પૂર્વભૂમિકારૂપે આપણે આટલી વાત વિચારી લીધી. હવે મનની ભૂખ એટલે શું ? મનની ભૂખ ચોવીસે કલાક ઊકળતા જ્વાળામુખી જેવી છે. દેહ-ઇન્દ્રિયની ભૂખ સાથે આ ભૂખની તુલના થઇ શકે તેમ નથી, મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only ८७ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy