________________
તેવી જ રીતે વધારે ખાઓ તો ભૂખ મરી જાય, તે ઓવરડોઝની નિશાની છે. તમે ખાવામાં સુખ માન્યું છે તે ભૂખને સાપેક્ષ છે. ભૂખ હોય અને ખાઓ-પીઓ તો સુખ મળે. એટલે ઘણા વિચારે કે જેમ ભૂખ વધારે લાગે તેમ ખાવાની મજા વધારે, તેથી વધારે ભૂખ લગાડવા માટે ગોળી લેતા હોય છે. વળી ખાવાનો રસ એટલો હોય કે ભાવતી વસ્તુ આવે તો હોજરીની શક્તિ જોયા વગર અકરાંતિયાની જેમ ખાધા કરે, તો શું થાય? જેમ દીવો કે દેવતા સળગી રહ્યો હોય તેને વધારે પ્રદીપ્ત કરવા, વધારે પડતું ઘી નાંખો તો શું થાય? કાં દીવો ઝાંખો પડે અથવા બુઝાઈ જાય, તેમ ભૂખ પણ મરી જાય છે; પરંતુ અંદર પ્રક્રિયા તો ચાલુ છે, માત્ર તે પ્રક્રિયા ધીમી પડી જાય છે, કારણ ભાર અંદર ઘણો નાંખ્યો છે; પરંતુ ભૂખ લાગવાની તો ચાલુ જ છે. જેમ તમે માનો કે ઉપવાસમાં હોજરીને રેસ્ટ છે, પણ હોજરી રેસ્ટ લેતી નથી, પરંતુ શરીરમાં જૂનો જામેલો કચરો હોય છે તેને બાળવાનું કામ કરે છે. જઠરાગ્નિ સતત સક્રિય છે અને જેનો જઠરનો અગ્નિ નાશ પામે તે તરત જ મરી જાય છે, ભૂખ બંધ થાય પછી માણસ બચે નહિ. જીવન ક્યાં સુધી? જ્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી. આ ૮૪ લાખ જીવાયોનિમાં બધાં શરીરોનું મૂળભૂત સ્વરૂપ આ જ છે, ફક્ત યોનિ પ્રમાણે તેની માત્રા બદલાય છે. સહુથી વધારે ભૂખ, તરસ, થાક, ગંદકી દુર્ગતિમાં હોય છે. નરકમાં આ ચારે વસ્તુ સહુથી વધારે હોય છે, આ પ્રક્રિયા ત્યાં તીવ્ર હોય છે. તેના કરતાં પશુમાં ઓછી હોય, તેના કરતાં માનવમાં ઓછી અને તેના કરતાં દેવતામાં ઓછી અને દેવતામાં પણ જેમ જેમ ઊંચા દેવલોકમાં જાઓ તેમ આ પ્રક્રિયા ઘટતી જાય છે, પણ આ ચારની પ્રક્રિયા તો હોય જ છે. તે સિવાય ચારે ગતિમાં અને ચોર્યાસી લાખ જીવાયોનિમાં કોઇપણ ભૌતિક સુખની પ્રાપ્તિ શક્ય નથી. સૃષ્ટિનાં તમામ ભૌતિકસુખોની મૂળભૂત આધારશિલા ભૂખ, તરસ, થાક અને ગંદકી; આ ચાર વસ્તુ જ છે. તે ચારેના કામચલાઉ નિરાકરણ દ્વારા જ તમામ ભૌતિક સુખોની ઉત્પત્તિ થાય છે. તમે આજ દિવસ સુધીમાં એવું એક પણ સુખ નહીં અનુભવ્યું હોય કે જેમાં આ ચારમાંથી એકના નિરાકરણની પ્રક્રિયા ન હોય. દા.ત. સવારમાં બ્રશ કરીને ફ્રેશ થયા, તેમાં મોઢાની ગંદકીનું કામચલાઉ ધોરણે નિરાકરણ કર્યું, બાથરૂમમાંથી નાહીને ફ્રેશનેસ સાથે બહાર નીકળ્યા, એટલે ચામડી પરની ઉપરછલ્લી ગંદકીનું કામચલાઉ ધોરણે નિરાકરણ કર્યું, ચા-પાણી-નાસ્તો કર્યો, એટલે ભૂખ-તરસનું કામચલાઉ ધોરણે નિરાકરણ કર્યું. સારાંશ એ છે કે, એક બાજુ દેહમાં ભૂખ-તરસ-થાક આદિના દુઃખોના ઉત્પાદન અને સંચયની પ્રક્રિયા અવિરતપણે ચાલે છે અને બીજી બાજુ તેમાં ટેમ્પરરી રીલીફના ઉપાયો જેવી ભોગની ક્રિયા ચાલુ છે, જેનાથી તમને જીવનમાં સુખનો આભાસ પેદા થાય છે. તે સિવાય ભૌતિક જગતમાં બીજી કોઇ સુખ નામની ચીજ છે જ નહીં. આ જડ જગતનું વેધક સત્ય છે, અંતિમસત્ય છે, ભૌતિક સુખની પ્રક્રિયા અંગે
મનોવિજય અને આત્મશુદ્ધિ
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org