________________
તા. ૧૩-૮-૯૫, રવિવાર.
દેહ-ઈન્દ્રિય-મનના સુખમાં દુઃખસ્વરૂપતા:
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને જડ ચેતનનો વિવેક કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે.
અનંત કાળથી આત્માએ આ દુનિયામાં જડ સાથે તાદામ્ય કેળવ્યું છે. તેમાં જો કોઈ માધ્યમ હોય તો દેહ-ઇન્દ્રિય-મન છે, જેના દ્વારા ભૌતિક જડ દુનિયા સાથે તમે નાતો કર્યો છે. પહેલાં આત્મા આ દેહ-ઇન્દ્રિય-મન સાથે જોડાયો, પછી તેમના દ્વારા જ દુનિયાનો સંપર્ક, સંબંધ મૂળભૂત રીતે બંધાયો છે. આ ત્રણનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી મુક્તિ થાય નહિ. મુક્તિની તમે ગમે તેટલી ઝંખના કરો, પરંતુ ત્રણથી છૂટવાનો તીવ્ર તલસાટ ઝંખો નહિ ત્યાં સુધી આ મુક્તિની ઝંખના ઔપચારિક છે. ચોવીસે કલાક તમારા પર અસર કરનાર દેહઇન્દ્રિય-મનના સ્વરૂપનું તમે ચિંતન-મનન કરો તો તે ઉપાધિરૂપ વળગાડ છે, તેમ તમને લાગ્યા વગર રહેશે નહિ. પરંતુ દેહ-ઇન્દ્રિય-મનનું સ્વરૂપચિંતન જ પ્રાયઃ કરીને જીવ કરતો નથી. આપણે “મા'ના પેટમાં આવ્યા ત્યારથી દેહનો સંબંધ છે અને મૃત્યુ પામતા સુધી તે રહેવાનો છે. તમને કોઈ પૂછે કે આ શરીરનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તો તમે ઓળખાણ આપી શકો ખરા?
(૧) શરીરનું સ્વરૂપ :
ભૂખ, તરસ, થાક અને ગંદકી આ ચારનું પ્રોડક્શન સેન્ટર તેનું નામ શરીર અને પાછું આ ઉત્પાદનકેન્દ્ર રાત-દિવસ ચાલુ છે. તેમાં ભૂખ, તરસ, થાક, અને ગંદકી પેદા કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે તે સમજવા જેવી છે. જેમ કે તમે માનો છો કે ઝાડો-પેશાબ જઈ આવ્યા એટલે શરીરની ગંદકી બહાર નીકળી ગઈ, પરંતુ ઝાડો-પેશાબ કરી લો કે તરત જ બીજી મિનિટે નવો ઝાડો-પેશાબ બનવાનું અંદર ચાલુ થઇ જાય છે. તમે મળની ગંદકી બહાર કાઢી પણ તરત જ આંતરડામાં નવા મળનો સંચય થવાનું ચાલુ થઈ જાય છે. તેવી જ રીતે તરસ લાગે, તેથી પાણીનો ગ્લાસ પીધો, પછી તરસ છીપાઈ તૃતિનો અનુભવ થયો; પણ બીજી
મનોવિજય અને આત્મશુદ્ધિ
८३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org