________________
સભા:- બિમાર પડી જઇએ.
સાહેબજી - ના, ખોટી વાત છે. તમે ભૂલ્યા છો. ઊલટાના ફ્રેશ થઇ જવાય. તમે ફીઝીયોથેરપી ભણ્યા નથી એટલે કહો છો. ઠંડા વાતાવરણમાં રહેલા માણસો તમારા કરતાં વધુ સશક્ત અને ઊંચા બાંધાવાળા હોય છે. માટે તમને ફ્રીજમાં રાખશો તો કરમાઈ નહિ જાઓ. જયાં ટેમ્પરેચર નીચું હોય તેવા વાતાવરણમાં રહેવાથી બીમાર પડવા કરતાં શક્તિ વધારે મળે છે. તમારા શરીર માટે કઈ ઋતુ લાભદાયક છે? શિયાળો ને? આખા વર્ષની શક્તિ શિયાળામાં સંગ્રહ કરી શકાય છે, માટે તમને કોઇ ફ્રીજમાં રાખે તો વાંધો ન આવે. હવે તમારી સાથે આવું વર્તન કોઈ કરે તો તમને ગમે ખરું?
સભા -ના, સાહેબ ! જરા પણ નહિ.
સાહેબજી:- તો પછી તમને જે વર્તન ખરાબ લાગે છે તેવું વર્તન તમે બીજા માટે કરો છો, તો તે અધર્મ જ કહેવાય.
* * * * * * * * * * * * * * * * * * * * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૮૨
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org