________________
લોભિયો માણસ માને છે કે લોભ ખરાબ છે અને ઉદાર બનવા જેવું છે, તેથી તે મન પર કાબૂ રાખીને દાન આપે છે, છતાં પ્રકૃતિમાં લોભિયાપણું છે. ભાવ લોભનો છે પણ ઇચ્છા દાનની છે, પ્રવૃત્તિ પણ દાનની છે. કોઇ વ્યક્તિ દીક્ષાને સારી માને એટલે ચારિત્રનો ભાવ આવે કે રુચિ આવે? માટે ખાતરી સાથે કહેવું પડે કે તમે જે પાપો કરો છો તે બધાં ભાવપૂર્વકનાં પાપો છે. બાકી આ બધી ઊઠાં ભણાવવાની વાતો છે. તમે કહો કે, “અમે ખાઈએ છીએ પણ ભાવ નથી”, પરંતુ તે ખોટી વાત છે.
સભા - સાહેબ ! ભાવ છે પણ રાજીપો નથી.
સાહેબજી:- હા, તે બરાબર. પરંતુ હિંસા કરવાનો ભાવ ચોવીસે કલાક પડ્યો છે, તેને અનુરૂપ કઠોરતા મનમાં ધરબાયેલી છે. પણ તમે તે હિંસાને સારી માનતા નથી માટે રાજીપો નથી.
સભા :- અમે નબળાઈના કારણે કરીએ છીએ.
સાહેબજી:- ઘણા માણસ પોતાની નબળાઇના કારણે વ્યસન સેવે છે, છતાં તેમના દિલમાં દુઃખ હોય છે ને?
સભા :- અમારે સુધરવા શું કરવું?
સાહેબજી -જે દિવસે તમારામાં સત્ત્વ આવશે, સંકલ્પબળ આવશે અને ખમીર આવશે, તે દિવસથી તમે સંપૂર્ણ અહિંસાના આચરણને સત્ત્વથી જીવનભર વળગી રહેશો. એ સત્ત્વ જે દિવસે આવશે તે દિવસે તમે સુધરી શકશો. સમ્યગ્દષ્ટિ રોજ પાપને ખરાબ માનતો હોય, છતાં પણ તેનાથી પાપ થતું હોય, પણ ધિક્રાઈપૂર્વક પાપ ન કરે.
સભા:- સમ્યગ્દષ્ટિનો બંધ નિરનુબંધ હોય ને?
સાહેબજી - હા, તેને હિંસા કરતાં પણ અનુબંધ તો અહિંસાનો જ પડે. જયારે મિથ્યાષ્ટિની હિંસા સાનુબંધ હોય.
સભા:- શાક ફ્રીજમાં રખાય?
સાહેબજી :- તમને કોઇ ઠંડીમાં ખુલ્લા કરીને રાખે તો કેવું લાગે ? શિયાળામાં કહે કે ખુલ્લા થઈને બેસો તો શું થાય? મનોવિજય અને આત્મશુદ્ધિ
* * * *
* *
*
*
* *
*
*
*
* *
* *
* *
*
*
* *
*
એક
. એક
જ ક ર
ક
મ
*
*
* * * *
*
* *
*
* * *
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org