SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નાના નાના જીવો પ્રત્યે ચોવીસે કલાક કોમળતાનો ભાવ નથી. તેમના પ્રત્યે દિલ કઠોર થઈ ગયું છે. એટલે અમુક જીવો પ્રત્યે કઠોરતા પ્રકૃતિરૂપે વણાયેલી છે. તેથી જયાં પણ જાઓ ત્યાં તેના નિમિત્તનું પાપ લાગ્યા કરે છે. તેવી જ રીતે જે જીવો પ્રત્યે કોમળતા છે ત્યાં પુણ્યબંધ ચાલુ છે. એટલે અંતરમાં જેટલી કોમળતા અને જેટલી કઠોરતાની પરિણતિ છે તે પ્રમાણે પુણ્યપાપબંધ પડતો હોય છે. તમે એક સાથે દયાનો અને હિંસાનો વિચાર નથી કરી શકતા, પરંતુ પ્રકૃતિમાં દયા અને કઠોરતાનો ભાવ એક સાથે રહે છે. ઉપયોગ મનમાં વિરોધી ભાવો એક સાથે રહી શકાતા નથી, પરંતુ લબ્ધિમનમાં એક સાથે ઘણા જ ભાવો અકબંધ જળવાઈ રહે છે અને તેનો પડઘો ઉપયોગમનમાં સતત અસરરૂપે વર્તે છે, જેનાથી કર્મબંધ પ્રવર્તી રહ્યો છે. સભા:- તો પછી અમે શાક-ફૂટ સમારીએ છીએ તેનું શું કરવું? સાહેબજી -જો તમને જીવોને મારતાં અરેરાટી થાય, હું ખોટું કામ કરું છું તે ફીલ થાય, ન છૂટકે કરું છું, આવો ભાવ આવે તો થોડો કોમળતાનો ભાવટકે અને તમારી ધિક્રાઈપૂર્વકની હિંસા નથી એમ કહી શકાય. પણ તમે તે જીવોને કાપી કેમ શકો છો? કારણ હૃદયમાં થોડી કૂરતા પણ છે, માટે જ તેને સમારી શકો છો. જેમ કાકડીને સમારો તેમ તમારી આંગળીને સમારી શકશો ખરા? દા.ત. સાપ કરડ્યો હોય અને ઝેર ચડતું હોય તે વખતે કોઇ હિતેચ્છ કહે કે તે ભાગને કાપી નાંખો તો શરીરમાં બીજે ઝેર ચડશે નહિ; તે વખતે લાભ છે છતાં પણ કાપવા માટે હાથ ચાલે ખરો? ના, કારણ મમતા છે, સ્વત્વ બુદ્ધિ છે, લાગણી છે. તેથી હિંસા કરવા દબાણ કરે તો પણ કરી શકતા નથી. જયારે શાક કેમ સમારી શકો છો? કારણ ત્યાં પરાયાનો ભાવ છે, જયારે આંગળીમાં સ્વાર્થનો ભાવ છે, માટે કરી શકો છો. જો પૂર્ણ કોમળતા હોય તો પોતાના સ્વાર્થ ખાતર પણ જીવને મારી ન શકો. પરંતુ તમે દુભાતા દિલે મારો તો ઓછી કઠોરતા કહેવાય. ઘણા કહે છે કે અમારે રોજ હિંસા કરવી પડે છે, માટે કરીએ છીએ, પણ હૃદયમાં હિંસાનો ભાવ નથી. પરંતુ ભાવનો અર્થ શું થાય, તે જાણો છો? દિલમાં હિંસાનો ભાવ છે, માટે જ જાણીબૂજીને જીવને તમારા સ્વાર્થ ખાતર મારી શકો છો. અહીંયાં તાત્પર્ય શું છે? તમે ભાવનો અર્થ સમજયા નથી. તમે પાપને ખરાબ માનો એટલે પાપનો ભાવ મટી ગયો તેમ ન કહેવાય. તમે તે પાપ જાણીબૂજીને કરતા હો તો ભાવ છે. તમે હિંસા કરતાં બોલો છો, દાવો કરો છો કે મારા મનમાં ભાવ નથી, પણ તે ખાલી આત્મવંચના છે. કેમ કે ભાવ, ઇચ્છા, અનુમોદના, રાજીપો બધી જુદી વસ્તુઓ છે. મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy