SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે આ તમારા ક્રૂર હિંસક ઉપાય લાંબે ગાળે કોના પર અસર કરશે? બધાને મારીને તમે શાંતિથી મરી શકશો ? તમારા ઘરમાં આ બધી દવાથી ઝેરી વાતાવરણ થાય છે. મચ્છરના નિવારણ માટે મચ્છરદાની જેવો કોઈ અહિંસક ઉપાય નથી. આ બધી ઝેરી વસ્તુ વાપરો છો, તે જ દહાડે તમારા પેટમાં જ આવે છે. જે દવા તમે ગટરોમાં નાખી, જીવો પર નાખી, તે બધી દવા જમીનમાં શોષાશે. તેના દ્વારા અનાજમાં જશે અને અનાજ દ્વારા તે દવા અંતે તમારા જ પેટમાં આવશે. તમને એમ કે બધા જીવોનો કંટ્રોલ કરી શાંતિથી જીવીશું, પણ તમને ખબર નથી, અલ્ટીમેટ તે દવાનો પ્રયોગ તમારા પર જ થાય છે. વર્તમાનમાં કોઈનું બ્લડ એવું નથી કે જેમાં ડી.ડી.ટી. જેવાં તત્ત્વો ન હોય. ઇવન તાજા જન્મેલા નવા બાળકને માતાના સ્તનપાન દ્વારા દૂધપાનમાં ડી.ડી.ટી. જેવાં તત્ત્વો અમુક ટકા મળે છે. કારણ મા જે ખોરાક ખાય છે તેમાંના ઝેરી તત્ત્વો દૂધમાં રૂપાંતર થાય છે. અત્યારે આટલાં કેન્સરો એમ ને એમ થાય છે? વિકાસના નામથી તમારી બુદ્ધિ બગડી છે. આધુનિક વિકાસમાં હિંસા-અહિંસાનો વિચાર જ નથી. આખી જીવસૃષ્ટિ હાયતોબા પોકારી ગઈ છે. તમે જૈનત્વના કુલાચાર ખોયાછે. પાણીની જેમ(છૂટથી) જીવો તમારાથી મરે છે. તેનાથી ભવાંતરમાં તમારા શું હાલહવાલ થશે તેનો વિચાર આવે છે ખરો? વિકાસનાં કેન્દ્રો વિશેષ રીતે મૂળભૂત પશ્ચિમના દેશોમાં છે. તેઓ મૂળથી અનાર્ય છે. ક્રિશ્ચિયન ધર્મને તેઓ માનનારા છે. તેમના મૂળગ્રંથમાં જ લખ્યું છે કે માનવજાતને છોડીને બીજે ક્યાંય જીવ નથી. પ્રાણીઓમાં આત્મા જેવું તત્ત્વ જ નથી. હાથી-ગાયને મારી નાખો તો પાપ નથી, તેવું તેમનાં શાસ્ત્રો કહે છે. તેઓએ પ્રાણીહિંસાને પાપ માન્યું જ નથી. એટલે તેમને પાપનો સવાલ જ આવતો નથી. તેઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ પણ માંસાહાર કરે છે. ઇશુખ્રિસ્ત રોજ માંસાહાર કરતા હતા. બાઇબલમાં જ વાત આવે છે કે એક વખત ભિક્ષામાં તેઓ પાંચ માછલી લાવ્યા. તેમાંથી બે તેમણે ખાધી અને ત્રણનું દાન કર્યું. તમે તો અવસરે ક્રિશ્ચિયન ધર્મનાં પણ વખાણ કરી લો ને? અત્યારે તો ઘણા જૈનો પણ પ્રાણી હિંસામાં પાપ માનતા નથી. હવે આગળ વાત. કદાચ તમારા મનમાં દવા છાંટવાનો હિંસક ભાવ ન થતો હોય, કદાચ ત્રસ જીવો મરે તો પણ અસર થઈ જતી હોય, પરંતુ ઘરમાં વેરાયેલાં ભાજીનાં-શાકનાં ડીંટડાં પર પગ મૂકતાં મનમાં અસર થાય ખરી? તમે અનાજની ગુણ પડી હોય અને કદાચ કામ પડે તો તેના પર ચઢી જાઓ ત્યારે, હૃદયમાં થાય કે અંદર રહેલા જીવને કેટલું દુઃખ થશે? માટે તમારા મનમાં મનોવિજય અને આત્મશુદ્ધિ ૭૯ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy