SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછે કે ધનની આસક્તિ-લોભ કરવા જેવો કે ખરાબ? તો કહેશે પૈસાની મહત્ત્વાકાંક્ષા તો જીવનમાં હોવી જ જોઇએ. પૈસાની ઇચ્છા રાખી નીતિથી કમાયેલા પૈસાને સારા કહેવામાં શું વાંધો? આમ, તેને ઉગ્ર લોભની વૃત્તિ નથી, પણ લોભને સારો માને છે. તેથી કોઈ લોભને ખરાબ માને છે છતાં મહાલોભિયો હોય અને કોઈ લોભને સારો માનતો હોય પણ ઉગ્ર લોભિયો ન હોય; આ માન્યતા અને પરિણતિ વચ્ચેનો વિસંવાદ છે. જે અશુભ ભાવને ખરાબ માને છે છતાં છોડી નથી શકતો તે, અશુભ ભાવને છોડી દેનાર છતાં તેને સારો માનનાર કરતાં ઊંચો ગણાશે. પહેલાં માન્યતાશુદ્ધિ આવે, પછી પરિણતિશુદ્ધિ આવે છે. ક્રોધ, માન, માયા, લોભ પ્રકૃતિમાં વણાયેલા પડ્યા છે. લોભી છે, તે પૈસાનો વિચાર કરે તો જ પાપ બંધાય તેવું નથી, પણ તે દુનિયાના કોઈપણ ખૂણે જાય, જાગતો હોય કે ઊંઘતો હોય તો પણ તેને લોભ નિમિત્તનું પાપ બંધાય છે. પરિણતિમાંથી જયારે શુદ્ધિ થાય ત્યારે તે પાપના બંધથી અટકી શકે. ઉપયોગમનમાં એક સાથે વિરોધી વિચાર નહીં કરી શકો. લોભના વિચાર સાથે ઉદારતાનો વિચાર નહીં આવી શકે. હિંસાના વિચાર વખતે અહિંસાના વિચાર નહિ આવે. કેમ કે ઉપયોગમનની સપાટી મર્યાદિત છે. વિરોધી ભાવો એક સાથે ઊઠતા નથી. જ્યારે સબકોન્સીયસ માઇન્ડમાં પરસ્પર વિરોધી ભાવોનો એક સાથે સંગ્રહ કરવાની શક્તિ છે. પરિણતિમાં અમુક પ્રકારની ઉદારતા હોય અને સાથે અમુક પ્રકારની લોભવૃત્તિ પણ પડેલી હોય, તેમ અમુક રીતની કોમળતા પણ હોય છે. જેમ ગાયને તમે કાપી શકશો? કસાઈની પ્રકૃતિમાં જેવી ક્રૂરતા-કઠોરતા છે તેવી તમારી પ્રકૃતિમાં નહિ જ હોય. કારણ વારસાગત અહિંસાના સંસ્કાર લોહીમાં પડ્યા છે. રસ્તે જતા કોઈ મોટા પ્રાણીને તમે ત્રાસ આપી શકશો નહિ, ઊલટાનું બચાવવાનું મન થશે. છતાં સંપૂર્ણ કોમળતા-દયા કાંઈ તમારી પ્રકૃતિમાં વણાયેલી છે? જેમ પગ નીચે ઉંદર આવીને દબાઈ જાય તો અરેરાટી થશે. કારણ પંચેન્દ્રિય જીવની તમારા દ્વારા સીધી હિંસા થાય છે. પણ વાયા-વાયા થતી હિંસાની તમને કાંઈ પરવા નથી. ઉંદર પગ નીચે આવવાથી ધ્રૂજી જાઓ છો, પણ પગ નીચે કીડી આવીને મરી જાય તો અરેરાટી થાય છે? સભા:- દેખાય નહિ. સાહેબજી - જુઓ તો બધું દેખાય. ઊંધું ઘાલીને ચાલો તો કશું દેખાય નહિ. કીડી નરી આંખે જોઈ શકાય છે. ધ્યાન રાખવું પડે, મહેનત કરવી પડે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy