SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સભા:- શું સાહેબ! હિંસાને વળી સારી મનાય? સાહેબજી - તમે બંગલો બાંધો તેને ખરાબ કહેશો? નાના ફ્લેટમાંથી મોટા ફલેટમાં જાઓ ત્યારે હરખાઓ ને? માટે ઉલ્લાસ પાપનો છે. એક મોટરના બદલે બે મોટર ઘરે આવે એટલે રાજી ને? એક દુકાન-પેઢીના બદલે બે ત્રણ થાય તો વધારે રાજી ને? લાખના કરોડ, કરોડના ૨ કરોડ થાય ત્યારે કેટલા ખુશ થાઓ? તેથી તમારા મનમાં આવી હિંસા સારી છે એવી માન્યતા વણાઇ ગઇ છે. કોઈ ખરાબ માનવાની વાત કરે તો આનાકાની કરો ને? સભા :- આ બધું માનીએ તો સંસારમાં કેમ રહેવાય? સાહેબજીઃ- કેમ, સમ્યગ્દષ્ટિ સંસારમાં રહે જ છે ને? તમે તો કેવી વાત કરી કે સમ્યગ્દષ્ટિ સંસારમાં રહી જ ન શકે. ભગવાનના લાખો શ્રાવકો સંસારમાં રહેતા હતા, તમારા કરતાં પણ સારી રીતે જીવતા હતા. તમારો સિદ્ધાંત શું? કે જે વસ્તુ તમને ઉપયોગી લાગે તે સારી, પરંતુ ઉપયોગી વસ્તુ પણ વાસ્તવિક રીતે સારી છે કે ખરાબ છે તેનું પણ ધોરણ છે. જેમ અનાજ ઉપયોગી છે, માટે અનાજ ઉગાડવું, ખેતી કરવી સારી છે, તેમન બોલાય. સારું અને ઉપયોગી વચ્ચેની ભેદરેખા સમજો. જેમ કોલસા વગર કે આગ વગર ન ચાલે, તેટલા માત્રથી તે આગ સારી વસ્તુ સારી કે ખરાબ તે તેના ગુણધર્મથી નક્કી થાય, માત્ર આવશ્યકતાથી તેને મૂલવાય નહિ. જેના વગર ન ચાલે તે વસ્તુ સારી, તેવું નથી. ગૃહસ્થજીવનમાં પૈસા વગર ન ચાલે, માટે પૈસા મેળવવા જેવા; પૈસા, વેપાર કે વ્યવસાય વિના ન મળે, માટે વેપાર-વ્યવસાય કરવા જેવો; ખોરાક -પાણી વિના જીવનમાં ન ચાલે, એટલે અનાજના ઉત્પાદન માટે ખેતી પણ કરવા જેવી; આ રીતે તમે બધામાં આવશ્યકતાના ધોરણે કર્તવ્ય કે હિતકારીનો નિર્ણય કરો છો, પરંતુ જે આવશ્યક હોય તે સારું જ હોય તેવો નિયમ નથી. તેમાં જો હિંસા-અસત્ય વગેરે સમાયેલું હોય તો તેને ખરાબ સ્વીકારવું પડે. સભા - સારું હોય તો જ આવશ્યકતા થાય ને? સાહેબજી -બીડી પીનાર કહે, તેના વગર મને ચાલતું નથી, માટે તેની તેને આવશ્યકતા થઈ. તેને કદાચ ન આપે તો માંદો પણ પડી જાય. તેમ ચા ન મળે તો માથું દુઃખે? માટે અનિવાર્ય આવશ્યકતા થઈ ગઈને? તેટલા માત્રથી શું બીડી-ચા સારાં છે? ના, પરંતુ જેનાથી બધાને સુખશાંતિ મળે તે સારું. અનેકને દુઃખનું કારણ બને તે તમને સગવડતા ખાતર આવશ્યક હોય તો પણ ખરાબ છે. જેનાથી બીજાને પીડા થતી હોય, તેવી પ્રવૃત્તિ તમને ઉપયોગી થતી હોય તો પણ, તેમાં હિંસા આદિના કારણે તે ખરાબ જ છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy