________________
અમે કહીએ કે ગાજરનો રસ પીવાથી, કંદમૂળ હોવાથી અનંતા જીવો મરી જાય છે; તો કહેશે. કે એવું બધું વિચારવાનું ન હોય. પાછા આગળ વધીને કહે કે આરોગ્ય સારું હશે તો ધર્મ આરાધના થશે. હવે આ ઊંધી માન્યતા પડી છે, તેથી તે તમને ચોવીસે કલાક ગાજરનો રસ પીઓ કે ન પીઓ પણ દુનિયામાં આ જીવોની જે હિંસા થાય છે તેમાં તમારી અનુમોદના ચાલુ છે, માટે પાપ લાગે છે. આવી તો હજારો નાની નાની ઊંધી માન્યતાઓ તમારા જીવનમાં હશે. ઘણાં ખોટાં કાર્યોને તમે જીવનમાં સારાં માનતા હો છો. તેમાં પણ જયારે વર્લ્ડ લેવલ પર વાતો ચાલે ત્યારે તો અક્કલ જ ગીરવે મૂકી દો છો. ત્યારે ભગવાનની આજ્ઞાવિરુદ્ધ કેટલા વિચારો ચાલતા હોય છે ! તે તમે સ્ક્રીનીંગ કરો તો ખબર પડે. જેમ પ્લેનો ઊડવા લાગ્યાં તેનાથી કેટલો લાભ થયો છે ! કેટલો વિકાસ થયો છે! એટલે તે વિકાસ તમને લાભકારી લાગ્યો છે. માટે તમારે મન જગતમાં જેટલાં યંત્રો છે તે સારાં છે, તેથી તેની અનુમોદના છે; અને આ માન્યતા દ્વારા ઘોર પાપકર્મ પેદા થાય છે. આ પાપબંધ અટકાવવા માટે જગતમાં જિનેશ્વરદેવોએ જે વ્યવસ્થા બતાવી છે, જે ઉચિત વ્યવહારો બતાવ્યા છે, તે જ સાચા ને સારા છે અને બીજું બધું ખોટું છે; આ જ માન્યતા જીવનમાં બાંધી લેવા જેવો મુદ્રાલેખ છે.
આજનો સામ્યવાદ ખોટો છે. તે જિનેશ્વરદેવે કહ્યો નથી, ઊલટો તેને તો અનુચિત કહ્યો છે. ઘણા તો આમાં સમજે કાંઈ નહિ, પણ ખાલી ડહાપણ ડહોળે, જેથી પાપની અનુમોદના ચાલુ રહે. જેમ તમારા કુટુંબમાં તમારે કઈ રીતે જીવવું, કેવા વ્યવહાર બધા સાથે કરવા તે ભગવાને ઉચિત વ્યવહાર તરીકે બતાવ્યા છે; ભાઈ-બહેન, મા-બાપ સાથે કે બીજા સંબંધીઓ સાથે કેવો વ્યવહાર કરવા, કેવા વ્યવહાર ન કરવા તે બતાવ્યું છે, તેનાથી વિરુદ્ધ જે વ્યવહાર કરો તેને ખોટું માનવાની તૈયારી જોઇએ. નહીંતર જો તેને સારું માનો તો અધર્મની માન્યતાને મનમાં પ્રોત્સાહન આપ્યું ગણાય, જેથી કર્મબંધ ચાલુ રહેશે. આ દુશ્ચક્રથી બચવું હશે તો સતત જાગૃતિપૂર્વકનો આજ્ઞાનુસારી ચોક્કસ નિર્ણય જોઇએ. સારું ને સાચું કેવળ કપોલકલ્પનાથી નથી માનવાનું, પણ જિનેશ્વરદેવની આજ્ઞાથી નક્કી કરવાનું છે. જેમ ઊલટી માન્યતાથી પાપ બંધાય છે તેમ સાચી માન્યતાથી પુણ્ય બંધાય છે.
હમણાં અનુબંધને બાજુ પર મૂકીને બંધને જોઇએ. આ જગતમાં હજારો પ્રકારની હિંસા ચાલુ છે. અમુક હિંસાને તમે વાજબી માનો, અમુક હિંસાને ગેરવાજબી માનો. જેને ગેરવાજબી માનતા હો તે હિંસામાં તમારી અરુચિ છે, માટે તેનાથી શું બંધાય ? પુણ્ય બંધાય. અને જે હિંસા સારી લાગે તેમાં રુચિ છે, માટે તેનાથી પાપ બંધાય. બધી હિંસાને ખરાબ માનનાર તો Rare(કોઇક) જ નીકળશે. તમારા સ્વાર્થ માટે જે હિંસા કરી તેને ખરાબ માનો ખરા? કહેશો કે આવી હિંસા તો કરવી જોઇએ ને?
*
* *
* * *
* * *
* * *
* * *
*
* * * *
* *
* * *
* *
* * * *
* * *
*
* * * *
*
* *
* * *
* * * * *
* * *
७४
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org