SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જ ટાઈમ નથી. જેને પોતાની જાત માટે ટાઇમ નથી, એનો અર્થ એ થયો કે પોતાની જાત ઉપર તેને ભયંકર દ્વેષ છે, તે સ્વષી માણસ છે. જેમ તમારી પાસે પાંચ કામ કરવામાં આવે તો જે કામમાં તમને વધારે રસ હોય તે પહેલું કરો, અને અણગમતાં હોય તે ક્રમશઃ પછી કરો; તેમ અહીંયાં તમે આત્માને છેલ્લો મૂકો છો, એટલે તેનો મતલબ એ થયો કે તમને તમારા આત્માના ઉત્થાનમાં જરા પણ રસ નથી. આ બહુ કરુણ સ્થિતિ છે. તમારા ઉપર કોઈ દ્વેષ રાખે તો તમને ગમે નહિ, છતાં પણ તમે તમારી જાત ઉપર સતત ષ રાખો છો. તમને કોઈ એવોઈડ કરે તો ગમે નહિ, પરંતુ તમે તમારી જાતને ચોવીસે કલાક એવોઇડ કરો છો. આ તો કેવું બેહૂદું કહેવાય? અમે તમને તમારા મૂળભૂત આંતરિક સ્વરૂપનો વિચાર કરવાનું કહીએ છીએ. સ્વકેન્દ્રિત થવા જેવી હિતકારી કોઈ પ્રવૃત્તિ નથી. ધર્મ તમારી જાતની વધારે ચિંતા કરે છે. માટે કેવળ સ્વનો વિચાર કરવાના અવસરે કહો કે “નો ટાઇમ,” તો આ કેવી વાત કહેવાય? જરા ચિંતન મનન કરજો . આના માટે એક વખત બનેલો એક દાખલો કહું. એક હાર્ટના સ્પેશીયાલીસ્ટ પાસે એક સુખી પેશન્ટ આવેલા. ડોક્ટરે તેમને તપાસી બધા રીપોર્ટો જોઈ લીધા પછી કહ્યું કે, મારી દષ્ટિએ તમને ખાસ તકલીફ નથી. જરા નોર્મલ B.P. વધારે રહે છે. પરંતુ તેના માટે કંઈ દવા લેવાની જરૂર નથી. પરંતુ દિવસમાં અર્ધો કલાક કાઢી થોડાં યોગાસન-પ્રાણાયામ કરી મનને રીલેક્સ કરવા પ્રયત્ન કરો. જ્યારે પેલા ભાઈ બિઝનેસમેન હતા. તે કહે કે ડોક્ટર મને ટાઇમ મળતો નથી. ત્યારે ડોક્ટરે કહ્યું કે સમજી રાખજો, હમણાં ટાઇમ નહિ કાઢો તો તમારો કાયમ માટેનો ટાઈમ હાથમાંથી સરકી જશે. ડોક્ટરે બહુ જ સંભળાવ્યું. પોતાની જાત માટે અર્ધો કલાક ન કાઢી શકો? આ વાત શારીરિક દષ્ટિએ છે. આ પ્રસંગમાં શારીરિક દષ્ટિએ મૂર્ખ બનો છો, તેમ આત્માની દૃષ્ટિએ મૂર્ખ બનો તો કેટલું નુકસાન થાય? તે વિચારજો. તમારે તો એમ કહેવું જોઇએ કે દુનિયામાં બધી વસ્તુ માટે ટાઇમ ઓછો છે, પણ મારી જાત માટે મારી પાસે ઘણો ટાઇમ છે. તમારામાં સહુથી પહેલી તલપ પોતાના હિતની હોવી જોઇએ. એકપણ માન્યતા ઊંધી ગોઠવાય તે આત્મા માટે માટે ભયંકર દોષ છે. જીવનમાં કલ્પના ન હોય તેવી ઊભી કરેલી-મન માનેલી માન્યતાઓ લઈને ફરતા હો છો, પછી તમે ગમે તેટલો ધર્મ કરો પણ એક ઊંધી માન્યતા ભારે પાપ બંધાવે છે. જેમ તમે પ્રભુભક્તિ કરી, દર્શનપૂજા કર્યા ત્યારે પણ તમારામાં ભગવાનની આજ્ઞાવિરુદ્ધ જેટલી ઊંધી માન્યતાઓ છે, તે તમને પાપનો બંધ કરાવે છે; કારણ પાપની અનુમોદના માન્યતારૂપે પૂજાદિ કરતાં પણ ચાલુ છે. દા.ત. ઘણા કહે છે કે ગાજર તો શરીર માટે સારું કહેવાય, આંખ માટે પણ લાભકારી છે, માટે ખાવાં જોઇએ. તમને કોઈ વાત ડોક્ટર કહે તે બેસી જાય, પણ શાસ્ત્રો કહે તે ન બેસે. મનોવિજય અને આત્મશુદ્ધિ ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy