SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષ ચોવીસે કલાક અનુભવસિદ્ધ ફળ છે, જેમાં ક્યાંય શંકા કરવાનો સવાલ જ ન આવે. જેને પણ આમાં શંકા આવે તેને ખાતરી કરવાની છૂટ છે. તેના માટે જીવનમાં થોડી વાર અશુભભાવ કેળવો અને પછી શું અનુભવ થાય છે તેનું અવલોકન કરો. તે જ રીતે કોઈ વ્યક્તિ શુભભાવ કરે અને પ્રસન્નતા ન મળે તે શક્ય જ નથી. જેમ કારેલાનો રસ કડવો જ, દૂધપાકનો રસ મીઠો જ, મરચાં તીખાં જ રહેવાનાં, સાકર ગળી જ રહેવાની, તેમ અશુભભાવ તીખો અને કટુ રહેવાનો છે; જ્યારે શુભભાવ મધુર, પ્રીતિદાયી, માધુર્યનો અનુભવ કરાવે તેવો મીઠો, શાંતરસ છે. તમે તે કેટલો પામી શકો તે તમારા પુરુષાર્થ પર છે. નાસ્તિકે પણ કહેવું પડશે કે અશુભભાવ મહાદુઃખદાયી છે, શુભભાવ મહાસુખદાયી છે. મનના દુઃખનું સરવૈયુ અશુભભાવના સરવૈયામાં જ છે, મનના સુખનું સરવૈયું શુભભાવના સરવૈયામાં જ સમાઈ જાય છે. જેમ જ્યારે જ્યારે આગનો સ્પર્શ કરો ત્યારે ત્યારે ઉષ્માનો અનુભવ થવાનો જ, આગને અડો અને ઉષ્માનો અનુભવ ન થાય તે અશક્ય છે. તેમ જીવ અશુભભાવ કેળવે અને મનને પીડા ન થાય, તે અશક્ય છે; તેમ જીવ શુભભાવ કેળવે અને મનને સુખશાંતિનો અનુભવ ન થાય, તે પણ અશક્ય છે. સભા:- અશુભભાવ કોને કહેવાય? સાહેબજી - સ્વાર્થપ્રેરિત જે કષાયો છે તે અશુભભાવ છે. દા.ત. ઈર્ષા, દ્વેષ, રાગ, ક્રોધ, માન, અહંકાર થયો તેના કારણે હલકું વર્તન કરવાનું મન થયું તે અશુભભાવ છે. ટૂંકમાં તમારા પ્રત્યે કોઈ જે ભાવ કરે અને જે તમને ન ગમે તે બધા અશુભભાવ છે, કોઇનું પણ બુરું થાય તેવી ભાવના અશુભ કહેવાય. સભા:- ભગવાનનો રાગ કરવાનો છે? સાહેબજી:- હા, તેમાં કોઇનું પણ ખરાબ કરવાની ક્યાં ભાવના છે? તેમનો રાગ કરવાથી તમારું અને આખા જગતનું ભલું કરવાનું આવશે. બધાનું સારું કરવાની વાત આવે તેમાં અશુભભાવ નથી આવતો, ખરાબ ભાવનાને અશુભભાવ કહેવાય છે. કોઈ વ્યક્તિ કોઇનું બુરું કરવામાં પુણ્યયોગે સફળ થાય, ત્યારે પણ તે કરવા માટે અંદર જેટલો ટાઇમ ઉશ્કેરાટ કે આવેગ હોય, તેટલો ટાઈમ તેનું મન સ્વસ્થ રહેવાનું નથી. તમે જો મનના સુખને સમજી શકો તો પરમાત્મા સાથે તમારું અનુસંધાન સરળ બની જાય; કારણ કે મનના સુખને શુભભાવની સાથે લીંક છે. ધર્મ તમને શુભભાવો મનમાં કેળવવા લાયક દર્શાવે છે અને અશુભભાવો છોડવા લાયક દર્શાવે છે. જે મનના સુખને સમજી શકે તેને ખબર પડે કે રક છે કે આ જ ર છે. * * * એ છે તે ક ક કે એક જ કે * * * * * * * * * * * * * * * * * * * 90 મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy