________________
પ્રસન્નતા સાથે મનની શું લીંક છે. તેથી મનનું સંશોધન કરવું હોય તો તેના સ્વરૂપને જાણવું જરૂરી છે.
મનનું સ્વરૂપદર્શનઃ
મન બે છે. (૧) દ્રવ્યમન (૨) ભાવમન ભાવમનના પણ બે પ્રકાર છે. (૧) ઉપયોગમન (૨) લબ્ધિમન. લબ્ધિમનના પણ ઘણા પેટા ભેદો છે. લબ્ધિમનને સમજવા આપણે પહેલાં જોઈ ગયેલા કે
(૧) માન્યતાની શુદ્ધિ:- માન્યતા એટલે કે તમે શું માનો છો, શું નથી માનતા તે; અને તેના આધારે જ તમારી રુચિ વણાયેલી છે. સારાને સારું માનો તો તેના પર રુચિ જળવાયેલી રહે છે, તેને ખરાબ માનો તો તેના પર અરુચિ રહેશે. જેમાં એક વ્યક્તિ હિંસાને ખરાબ માને છે તો તેના મનમાં હિંસા પ્રત્યે અરુચિ રહેશે, અને એક વ્યક્તિ હિંસાને સારી માને છે તો તેના મનમાં હિંસા પ્રત્યે રુચિ રહેશે. તેમ અહિંસાને સારી માને છે તો તેની રુચિ રહેશે અને અહિંસાને ખરાબ માને છે તો તેની અરુચિ રહેશે. આમ, રુચિ-અરુચિ સારી-ખરાબ બધી વસ્તુઓ સાથે તમારી માન્યતા અનુસાર, તાણાવાણાની જેમ જડાયેલી છે. જગતની પ્રત્યેક વસ્તુ પ્રત્યે રુચિઅરુચિ સુષુપ્ત રીતે અંદર ધરબાયેલી છે. સાઇઝમાં નાના એવા મનમાં પણ વિશાળ સંગ્રહરૂપે સ્ટોર થઈને રહી છે.ખરાબ વસ્તુની રુચિથી પાપની અનુમોદના ચોવીસે કલાક અનકોન્સીયસલી ચાલુ છે, માટે પાપનો કર્મબંધ ચોવીસે કલાક ચાલુ છે. તેવી જ રીતે સારી વસ્તુમાં રુચિ હોય તો ચોવીસે કલાક પુણ્યનો બંધ પણ ચાલુ છે.
ખરાબ રુચિથી પાપનુબંધી પાપ બંધાય છે, સારી રુચિથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. માટે રુચિ-અરુચિ જેવી હોય તે પ્રમાણે પાપ અને પુણ્યના બંધ અને અનુબંધ ચાલુ હોય છે. આ એક મનમાં ગોઠવાયેલો કાયમ ખાતેનો ડીપાર્ટમેન્ટ છે અને તેમાં ફેરબદલી ઓછી થાય છે, કેમ કે જીવ પોતે માનેલી માન્યતાને ફેરબદલી કરવા જલદી તૈયાર નથી. દઢ થયેલી માન્યતાઓ ગ્રંથિરૂપે ગોઠવાયેલી છે, માટે તેમાં સામાન્ય પુરુષાર્થથી નોંધપાત્ર પરિવર્તન લાવી શકાતું નથી. સામાન્ય પુરુષાર્થથી સામાન્ય ફેરફાર થાય, પણ જન્મથી મૃત્યુ સુધીમાં માંડ બેથી પાંચ ટકા પરિવર્તન આવતું હશે. એટલે તેના બંધ અને અનુબંધ લગભગ રૂટીન પ્રમાણે ચાલતા હોય છે.
અશુભ માન્યતાઓનું સંશોધન અશુભ માન્યતા જબરદસ્ત રીતે પાપના બંધ-અનુબંધ સતત પાડ્યા કરે છે. ઘણા એમ
મનોવિજય અને આત્મશુદ્ધિ
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org