________________
નથી, છતાં તીવ્રતા કેટલી છે? તેમ મનનું દુઃખ પણ ભલે બહાર દેખાતું નથી પણ વાસ્તવમાં શરીરના દુઃખ કરતાં વધારે જથ્થામાં છે.
તમે એક માણસને અપટુડેટ થવા બધી સાધનસામગ્રી આપી. તે પહેરીને બનીઠની તૈયાર થઈ બહાર નીકળી કોઈ ગ્રુપમાં મિત્રો સાથે બેઠો, અને પછી પાછળથી જઈને ૫-૨૫ માંકડ તેના કપડાંમાં નાંખી દો, તો તેની શું હાલત થાય ? ઘડીકમાં અહીંયાં ચટકો ભરે, ઘડીકમાં ત્યાં ચટકો. હાલત શું? બેચેન? દુઃખી? તેમ સમાજમાં તમે અપટુડેટ થઇને ફરતા હો, પણ મનમાં વિકારો ભરેલા હોવાના કારણે, ઘડીકમાં આ વિકાર અહીં ચટકો ભરે, ઘડીકમાં બીજો વિકાર નવો ચટકો ભરે, માટે અંદરથી તમારી શું હાલત હોય છે? પરંતુ વિકારોથી મન ત્રાસમય છે તે દેખાય છે ખરું? ચોવીસે કલાક મન તેનાથી વ્યાકુળ હોવાના કારણે ત્રાસ આપતું હોય છે. પરંતુ તમે જો આને દુ:ખ સમજો તો તમારા જીવનની દિશા બદલાયા વગર ન રહે.
ધર્મનું તત્કાલ ફળઃ ચિત્તપ્રસન્નતા :
ઘણા કહે છે કે ધર્મ, પરલોકના સુખની, આત્માના સુખની મોટી મોટી વાતો કરે છે પણ , તાત્કાલિક ફળ શું? પરંતુ આવું પૂછનારા મૂર્નાઓને ખબર નથી કે વાસ્તવમાં ધર્મ તો તમને તાત્કાલિક સુખી કરવા માંગે છે. તમે અંદરથી દુઃખી છો છતાં બહારનું દુઃખ દૂર કરવા જ ફાંફાં મારો છો. પરંતુ ધર્મ તમને પહેલાં અંદરથી સુખી બનાવવા માંગે છે. જે વ્યક્તિ ધર્મ સમજે તેને તો ધર્મ પ્રત્યક્ષ સુખની વાત કરે છે, તે દેખાય જ. ધર્મ ચોવીસે કલાક મનને સુખમાં તૃપ્ત રાખવાની વાત કરે છે. ચોવીસે કલાકચિત્તની પ્રસન્નતા તે જ ધર્મનું તાત્કાલિક ફળ છે, જ્યારે ચિત્ત અપ્રસન્ન થાય ત્યારે તે ફળ અધર્મનું છે. જેવો જીવનમાં અધર્મને આચરો એટલે ચિત્ત અપ્રસન્ન થાય છે, જીવનમાં જેવો ધર્મ અપનાવો એટલે ચિત્ત પ્રસન્ન થાય છે.
શુભ ભાવમાં સુખ, અશુભ ભાવમાં દુઃખ:
જ્યારે પણ મનમાં અશુભભાવ થાય ત્યારે અંદરમાં અશાંતિ થાય જ. કોઈ એમના કહી શકે કે અશુભભાવ કરતાં અંદરમાં શાંતિ મળી અશુભભાવ=દુઃખ જેટલો અશુભભાવ તેટલું માનસિક દુઃખ.
જેમ કોઇ વ્યક્તિને કડવી વસ્તુ આપે તો તે તેને બેસ્વાદ-કડવી લાગે. તેમ અશુભભાવ પેદા કરો એટલે અંદરમાં દુ:ખ સંતાપ અનુભવાય જ. જેમ ચપ્પ આંગળી પર ફેરવો કે તરત જ આંગળી કપાય ને ? કાંઇ કલાક પછી ન કપાય. તેમ અધર્મ તાત્કાલિક ફળ આપે છે.
મનોવિજય અને આત્મશુદ્ધિ
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org