________________
પ્રબળ પુરુષાર્થ કરશે. પ્રયોગ દ્વારા પણ સિદ્ધ થાય છે કે આંતરિક સુખ જ મહત્ત્વનું છે. તેનો અખતરો કરવાનો ઉપાય છે.
જેમ કોઇ માણસને કહીએ કે તને બધી સગવડતા આપીએ, જેવી કે ખાવા-પીવાનું, હરવા-ફરવાનું, બધી જ મોજમજા આપીએ, પણ સાથે એક એવી ગોળી આપીએ કે જેથી તે સતત ડીપ્રેશનમાં રહે. આવી ગોળીઓ આવે છે, જેનાથી કૃત્રિમ ભયની, કૃત્રિમ શોકની લાગણી, દુઃખની લાગણી પેદા થાય. વિજ્ઞાને આવી દવાઓ શોધી છે. આ દવાની બાયોકેમીકલ ઇફેક્ટ થાય જેથી તે વ્યક્તિ અંદરથી બેબાકળો, દુઃખી, ભયભીત, વ્યથિત થઇ જાય. આમ પાછું તેને બાહ્ય જગતમાં કોઈ દુઃખનું કારણ ન હોય. ઘણાને આઘાત-પ્રત્યાઘાતથી ડીપ્રેશન આવતું હોય છે. પરંતુ બધી સગવડતા વચ્ચે પણ જો મન ડીપ્રેશનમાં હોય તો સુખ મળે?
જેમ કોઈ કરોડપતિ માણસ હોય. ઘરમાં બધાને તેના પર લાગણી હોય, બહાર પણ તેનો માનમોભો-લાગણી હોય, ખાઈપીને આનંદ પ્રમોદ કરી શકે તેમ હોય, પણ તેને ડીપ્રેશન હોય તો, તે ગમે ત્યારે રડવા બેસે, શોકાતુર થઇ જાય, ભયભીત થઈ જાય. આમ તો તેને, તમે જેને સુખ કહો છો તેવાં બધાં બાહ્ય સુખ હાજર છે, છતાં તેનું જીવન મહાદુઃખમય છે. જયારે ડીપ્રેશન વગરનો આર્થિક દૃષ્ટિએ સામાન્ય માણસ પણ મજેથી રહી શકતો હોય છે, જીવનમાં અનંદ-પ્રમોદ કરતો હોય છે. એટલે જીવનમાં માનસિક દુઃખ જેવું કોઈ મોટું દુઃખ નથી. તે ઊભું થાય પછી દુનિયાનાં બધાં બાહ્ય સુખ નકામાં.
તેની સામે કોઇ માણસ બાહ્ય સંયોગોથી બહુ તકલીફમાં હોય અને તેને એક એવી ગોળી આપી દો કે જેથી તે મૂડમાં આવીને ફરવા લાગે, ગમે તેટલી તકલીફમાં પણ મજેથી ફરે, આ કૃત્રિમ છે, પણ ગોળીના કારણે મનનું સુખ મેળવે છે. માટે જેનું મન સુખમાં છે તેને દુનિયામાં કોઈ દુઃખી કરી શકતું નથી. જેનું મન દુઃખમાં છે તેને દુનિયામાં કોઈ સુખી કરી શકતું નથી. આ જીવનનાં વેધક સત્યો છે. જે તેને પકડી શકે તેને ખ્યાલ આવે કે ભૌતિક જીવનમાં પણ મનના સુખનું મહત્ત્વ કેટલું છે !
જેને આ વાત મનમાં બેસી જાય તેને થાય કે મારે મારા મનને જીતવું છે, શાંત-સ્વસ્થ બનાવવું છે. જેને આવી પ્રબળ ઇચ્છા થાય તેની સામે અમે ચિત્તશુદ્ધિની વાત કરીએ તો તેને સાંભળવાનું મન થાય. સાંભળીને જીવનમાં ઉતારે અને પછી તેના પર ચિંતન-મનન દ્વારા આગળપુરુષાર્થ કરવાનું પણ તેને ચાલુ થાય. માટે જીવનમાં આંતરિક સુખની પ્રધાનતા સમજો .
એક માણસ સમાજમાં ફરતો હોય, તેને પેટમાં દુખતું હોય પણ તે દુઃખ કાંઈ બહાર દેખાતું નથી, છતાં તે દુઃખથી અંદર બેવડા વળી જાય. ભલે આ શરીરનું દુઃખ છે, પણ દેખાતું
એક
એ
જ
કે
એ
* *
*
* *
*
* * *
* *
*
*
*
* *
*
*
* *
*
* *
*
*
*
*
* એક
ર ક
ક
ક
ક
૬૮
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org