________________
જાય છે. અત્યારે આપણે અભયદાનની વાત નથી ચાલતી, પરંતુ પૈસાના દાનની વાત ચાલે છે. કોઈ કરોડ રૂપિયા આપતે મોટો દાનેશ્વરી કે આખી દુનિયાનો ત્યાગ કરે તે વધારે દાનેશ્વરી ? માટે વિચાર કરજો કે આપણે દાનમાં પણ મામૂલી છીએ. તમે જીવનમાં બીજાને આપો છો વધારે? કે તમારી પાસે રાખો છો વધારે? વસ્તુપાલ-તેજપાલનું દાન જાણો છો? તેમની મૂડી પાંચ લાખની હતી અને તેમનું દાન અબજોમાં હતું. થોડું રાખીને વધારે આપ્યું છે. આદાનેશ્વરી કહેવાય. તમે દાનમાં એવું તે શું આપી દીધું છે? પણ વાસ્તવિક દર્શન નથી, માટે જ અહંકાર ગમે ત્યાંથી ટપકી પડે છે.
મેં જીવનમાં એવું શું કર્યું છે? મારી પાસે એવું તો શું છે કે હું ગર્વ લઈને ફરી શકું? આ મારી અને તમારા બધાની વાત છે. મહાપુરુષોના આચાર પાસે અમારા આચાર કે ત્યાગ પણ કંઈ નથી. આપણે જયારે ખોટા ભ્રમિત અને આંધળા થઈ જઈએ છીએ, ત્યારે જ અહંકારી બનીએ છીએ. કષાયમાત્ર ભ્રમજ્ઞાન છે. જેને જીવનમાં ભ્રમ ન હોય, સત્યનું દર્શન હોય તેને કષાય આવવાનો સવાલ નથી. તમને લાગવું જોઇએ કે હું બેવકૂફ બન્યો છું માટે કષાય એવું છું. મારે તમને અત્યારે વીતરાગ નથી બનાવવા, પરંતુ જેવા કષાય છે તેવા દેખાડવા છે. પરંતુ તમે જીવનમાં ઊલટા નિર્ણયો જ બાંધીને બેઠા છો. આપણું જીવન ભ્રાંતિમય, ભ્રમથી ભરપૂર છે. આપણું મન મોટે ભાગે કલ્પનાઓમાં, અવાસ્તવિકતાઓમાં રાચે છે. મન અવાસ્તવિક તરંગોમાં જ રમતું હોય છે. તે કદી જમીન પર રહેતું નથી, હવામાં અધ્ધર જ ઊડે છે. દીવાસ્વપ્રો જોયા કરે છે, તરંગો-કલ્પનામાં જ રાચે છે.
સભા:- શેખચલ્લીની જેમ જ?
સાહેબજીઃ- હા, પણ તે તમને લાગે છે? કેમને સમજાવવા બોલો છો? કેટલાય વિચાર કર્યા અને હજુ કેટલાય કરો છો. માટે અંદર હજી શેખચલ્લી બેઠો જ છે. કલ્પના-તરંગોમાં રમવું તે મનની કાયમી ટેવ છે. મનની કાલ્પનિક દુનિયામાંથી બહાર આવવું અને જીવનમાં વાસ્તવદર્શી બનવું તે જ ખરું તત્ત્વ છે.
* * *
* *
* *
* *
* *
* * *
* *
* * * *
* *
* * *
* * *
*
* * *
*
* * *
* *
* * * *
* * * *
*
* * *
* *
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org