________________
તમે કઇ બાબતનો ગર્વ કરશો ? તમારી પાસે કઇ વસ્તુ ગર્વ કરવા લાયક છે તે મારે જાણવું છે, હોય તો ખુશીથી કહો. જેમ શક્તિમાં હું બળવાન છું એવું માનો, પણ તમને એક મુક્કો મારે તો ગબડી જાઓ, તેવા પહેલવાન આ ધરાતલ ઉપરલ છે. છતાં ભ્રમણા છે કે હું બળવાન છું. આ દુનિયામાં ગર્વ કરવા લાયક બધું સિદ્ધ ભગવંત પાસે છે. પરંતુ જેને બધું મળી ગયું તે ગર્વ કરીને શું મેળવે ? અધૂરા જ છલકાય છે.
પૂ.ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે કે આત્મપ્રશંસા, પોતાનાં વખાણ કરે, “હું બહુ શ્રેષ્ઠ છું” તેવો વર્તાવ કરે, તેણે જાતને પૂછવાનું કે “આત્મપ્રશંસા કરવાથી તારે શું મેળવવું છે ? અધૂરો છે તો આત્મપ્રશંસા કરીને શેની બડાઇ મારે છે ? અને પૂર્ણ છે તો વખાણ કરીને નવું શું મેળવવું છે ?” વખાણ દ્વારા જેને કાંઇક મેળવવું છે તે તો અધૂરા જ કહેવાય. અધૂરાને આત્મપ્રશંસા કે બડાઇ મારવાની હોય જ નહિ, અને જે પૂર્ણ છે તેમને મેળવવાનું કાંઇ બાકી નથી રહ્યું તેથી આત્મપ્રશંસાની જરૂર જ નથી. આ તર્ક ધારદાર છે. આ તર્ક ગળે ઊતરી જાય તો જીવ બડાઇ મારે જ નહિ.
કષાય એક મનની ભૂખ છે. કષાયનો રસ કેળવીને જીવ આવ્યો છે માટે તેની ભૂખ છે. તેથી જ જીવને ક્રોધ કર્યા વગર ચેન નથી પડતું, અહંકાર કર્યા વગર મજા નથી આવતી, આસક્તિ કર્યા વગર પણ મજા નથી આવતી; એટલે જીવ કષાયોને કરવાની તક શોધ્યા જ કરે છે. પરંતુ હકીકતમાં આ આત્મપીડન છે. જેમ નવરો માણસ પોતાના શરીરને ચૂંટીઓ ખણે, પોતાના વાળ ખેંચે, માથું ભીંત સાથે પછાડે તો તે માણસ કેવો લાગે ? ચક્રમ. કારણ કે તે નિરર્થક દેહપીડન કરે છે. તેમ અમારી દૃષ્ટિએ કષાય કરવા એટલે શું ? આત્માને ચૂંટીઓ ખણવી, વાળ ખેંચવા, થપ્પડ મારવી, માથું પછાડવું, શું આ વર્તન વાજબી લાગશે ?
સભા ઃ- કષાય ન કરવા શું કરવું ?
સાહેબજી :- એ વખતે વાસ્તવિકતાનું દર્શન કરવું. એકલા હો કે બધાની હાજરીમાં હો, આ કષાય પેદા ક્યાંથી થયો ? તેનું સ્વરૂપ શું ? તેની ફળશ્રુતિ શું ? આ બધાનું જ્ઞાન થશે તો જીવ કષાય કરતો અટકશે અને કદાચ કષાય થશે તો તે કર્મના વશથી થશે, તેમાં તમારો સહજ પુરુષાર્થ નહીં હોય. પરંતુ તમને વાસ્તવિક દર્શન નથી, જ્ઞાન નથી માટે જ જીવ ભટકે છે.
તમે વધારે દાન આપ્યું ત્યારે હું જ દાનેશ્વરી છું એમ અહંકાર થાય, પરંતુ તમારા કરતાં પણ વધારે દાન આપનારા કેટલાય હોય છે. જેમ સાધુ પૈસાનું દાન આપતા નથી, પરંતુ જેણે દીક્ષા લીધી, તેણે સર્વસ્વ ત્યાગ કર્યો; સર્વત્યાગ એ મોટું દાન છે. તેથી વધારે દાનેશ્વરી કોણ ? ઉદાર દાનેશ્વરી પણ પોતાની પાસે કંઇક રાખીને પછી દાન આપે છે, જ્યારે સાધુ બધું ત્યાગીને
漤潆漤淇淇
**** ૬૫
****
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org