SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ એક ભાઇ મારી પાસે આવેલા. તે કહે સાહેબ ! મારે ધંધો સરસ ગોઠવાયેલો. પચાસ વર્ષથી અમે ભાગીદ૨ હતા. એકબીજા પર વિશ્વાસ હતો. પરંતુ મારા સ્વભાવના કારણે એવું બન્યું કે પ્રસંગે ન બોલવાનું બોલાઇ ગયું. ભાગીદારી તૂટી ગઇ. ગાડી પાટા ઉપરથી ઊતરી ગઇ. માટે વિચારજો કે, જીવ આવેશમાં કષાય કરે છે પણ જ્યારે ફળ ભોગવવાનું આવે ત્યારે કપાળ કૂટે છે. પણ કરતી વખતે ભાન ખરું ? ત્યારે તો બેભાન બની જાઓ છો. માટે અપ્રશસ્ત કષાય પ્રાયઃ અતિરેકવાળા હોય છે. જ્યારે પ્રશસ્ત કષાયમાં આવું ન હોય; જેટલા, જ્યારે, જે રીતે કરવાના હોય તે રીતે કરે, કષાયોને આજ્ઞાંકિત સેવક તરીકે રાખી શકે તે પ્રશસ્ત કષાય કરે. પ્રશસ્ત કષાય કરનારા જીવો કષાયોના માલિક છે, ગુલામ નહીં. ગુણવાળાં કારેલાં પણ જંગલીની જેમ ખાઓ, તેની બહુ કડવાશ વાપરો તો બ્લડપ્રેશર લો થઇ જાય, બળ ક્ષય થાય માટે તેમાં પણ વિવેક જોઇએ. કષાયો ભરપૂર અજ્ઞાનતાપૂર્વકની બેવકૂફીનું ફળ છે અને તેનું પ્રત્યક્ષ અને પરોક્ષ ફળ દુઃખ છે. કષાયોનું સ્વરૂપ પણ દુઃખ છે, કષાયનું કારણ પણ દુઃખ છે. જેને આ બધી વાતો ઊતરી જાય તેડાહ્યો બન્યા વગર રહે નહિ; ભલે પછી કષાય છોડી નશકે, પરંતુ આ મૂર્ખાઇ છે, તેવી માન્યતા તો આવી જ જાય. સમકિતીનો જીવ કષાય છોડી ન શકે પણ તેને તે અનર્થકારી સંતાપ આપનારા તો લાગે જ. તેનું મન કદી કષાયોને પ્રોત્સાહન ન આપે, પ્રેરણા ન આપે. જ્યારે તમારું મન તમને કષાય કરવામાં પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે, કારણ તમારી બુદ્ધિઊલટી છે. માન્યતા ઊલટાવવાની પ્રક્રિયા તરીકે અંદર મંથન કરતા જાઓ તો માન્યતા બદલાય જ. સભા ઃ- માન્યતા બદલવાની ક્રિયા અપુનબંધકથી ચાલુ થાય ? સાહેબજી :- હા, અપુનર્બંધકદશાથી ચાલુ થાય. શરૂઆત ત્યાંથી થાય છે અને પરિપૂર્ણ શુદ્ધ માન્યતા સમકિતમાં આવે છે.અપુનબંધક અવસ્થા પછીચરમયથાપ્રવૃત્તિકરણ, યોગાવેંચક, પહેલી દૃષ્ટિ, બીજી દૃષ્ટિ, એમ સમકિત સુધી પહોંચવા માટે ઘણી પ્રક્રિયા છે. એકથી ચોથા ગુણસ્થાનક સુધી રુચિનું પરિવર્તન છે; ત્યાર પછીનો ધર્મ, પરિણતિનું પરિવર્તન છે. કષાયનું સ્વરૂપચિંતન : ધર્મ આપણને જીવનમાં વાસ્તવદર્શી બનવાનું કહે છે. હકીકતને હકીકત સ્વરૂપે સ્વીકારવી એ જ શાસ્ત્રો દ્વારા ઉપદેશ આપવામાં આવે છે, તેમાં જ નક્કર સત્યતા છે. માટે જેને પણ કષાયનઃ સ્વરૂપનું ચિંતન કરવું હોય તેણે વાસ્તવદર્શનનો જ પ્રયત્ન કરવાનો છે. બુદ્ધિને પૂછો, આ ઠોસ સત્ય હોવા છતાં ગેરવાજબી કેમ લાગે છે? કષાયને એમ ને એમ દુઃખરૂપ નથી કહ્યા. મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only ૬૩ www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy