________________
તેની નજીકની કડી પકડી, તેમ મનને કવીન્સ કરાવવા તેની સહુથી નજીકનું પાત્ર બુદ્ધિ છે, માટે તેને પહેલાં પકડવી પડશે.
સભા - સાહેબ ! બુદ્ધિ બુઠ્ઠી હોય તો?
સાહેબજી - તેને તીક્ષ્ણ બનાવવી હોય તો ઘસી ઘસીને બનાવો. જન્મ્યા ત્યારે કક્કા નો ક પણ નહોતો આવડતો. અત્યારે ભણીગણીને હોશિયાર થઇ ગયા ને? જયાં રસ પડ્યો ત્યાં બુદ્ધિ ધારદાર કરી લીધી. ઘણા તો ધર્મના ક્ષેત્રમાં કાંઈ ન સમજે, પણ વેપારમાં ઊથલપાથલના મોટાં ગણિત કરતા હોય. ધર્મના ક્ષેત્રમાં કાંઈ યાદ ન રહે, પણ વેપારમાં બધા ઘરાકને ઓળખતા હોય, હિસાબ-કિતાબ આખો મગજમાં હોય, બજારના ભાવતાલ મોઢે હોય. આ બધું કેમ? કારણ ત્યાં રસ છે. માટે એવું ન કહેવાય કે બુદ્ધિ જાડી છે. આપણે બુદ્ધિને જ પકડવાની છે. બુદ્ધિને બરાબર અનુકૂળ કરી શક્યા તો મન માનવા તૈયાર થશે. શાસ્ત્રમાં લખ્યું છે કે શકટાલ મંત્રી જેવા મહાશ્રાવકના મોમાંથી પણ આવી વ્યક્તિની પ્રશંસા કરાવવાનું શક્ય બન્યું, તે નવાઇની વાત છે. પરંતુ પ્રસંગે આવી વ્યક્તિઓ પણ પોતાના પ્રિયપાત્રથી કેવા દોરવાય છે, તેની નાડ વરસચિએ પકડી, માટે જ કામ કરાવી શક્યો. તેમ આપણે પણ મનની નાડ પકડવી પડશે.
કષાયો દુઃખરૂપ કેમ છે? દુઃખનાં સાધન કેમ છે? કષાય પીડારૂપ છે. આખા સંસારમાં ચારે બાજુ કષાયો ઊભરાય છે. તેમાં અપ્રશસ્ત કષાય એટલે કે જીવનમાં એકાન્ત નિરુપયોગી ધાંધલધમાલરૂપ છે, નિરર્થક પ્રવૃત્તિ છે. શાસ્ત્રમાં કષાયમાત્રને બેવકૂફી કહી છે. તમે બેવકૂફ બનો ત્યારે જ તેનો જન્મ થાય. આ બધું તમને તર્કબુદ્ધિથી સમજાવીએ છીએ, ફેકોલોજી નથી. મૂળથી તમે કાંઈ શાંત-સહિષ્ણુ છો? કે જીવનમાં ગુસ્સે થાઓ છો? હા, તક ન હોય તો ગુસ્સાને બહાર ન કાઢો. ગુસ્સો કાઢવા માટે પણ પુણ્ય જોઇએ. પુણ્ય ન હોય અને ગુસ્સો કરો તો કોઈ થપ્પડ મારે. બધા કષાય માટે આ નિયમ છે. જેમ ગમે તેટલો અહંકાર હોય અને રુઆબ બતાવવા જાઓ; પણ પુણ્ય ન હોય તો ઉપરથી ધોલ પડે, કાન પકડીને તમને બહાર કાઢે, કહે ચાલતો થા; અને પુણ્ય હોય તો કદાચ પાછળથી ગાળો આપે, પણ સામે સહન કરી લે. માટે તમે ક્યાય બહાર વ્યક્ત કરી શકો છો, તેમાં તમારું પુણ્ય જ કારણ છે. જેમ તમે જીવનમાં સફળ થાઓ છો, ત્યારે પોતાની હોશિયારીથી સફળ થયા તેમ માનો, પણ તે વખતે તેવું માનનાર મૂખને ખબર નથી કે પુણ્યથી સફળ થયો છું. જેમાં તમારું કોઈ કામ ન કરે કે ન માને ત્યારે જરા ગુસ્સો કરી કામ કરાવો, ત્યારે તમારી બુદ્ધિમાં શું બેસે? કે મેં રુઆબ બતાવ્યો, ચમકારો બતાવ્યો માટે સીધો થયો, પણ તેવું નથી, તેમાં પુણ્ય જ કારણ છે.
પ૯
મનોવિજય અને આત્મશુદ્ધિ M-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org