________________
પદાર્થસુખને ઝંખે નહિ. ગઇ વખતે કહેલું કે તમે તળિયાને વાંચતા નથી અને સપાટીને જ જુઓ છો, સપાટી પર પણ જાડા અને સ્થૂલ કષાય જ દેખાય છે. જેમ નબળી આંખવાળો મોટા અક્ષર વાંચે અને નાના ખાઇ જાય, તેમ સપાટી પરના પણ તમને મંદ કષાય દેખાતા નથી.
અત્યારે તમે અહીંયાં બેઠા છો તે વખતે પણ રાગ-દ્વેષ સપાટી પર ચાલુ છે, પછી ભલે પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાય હોય. જેમ પ્રવચનમાં હું સારી વાત કરું અને પસંદ પડે તો રાગ થાય; અણગમતી વાત આવે તો અરુચિ થાય; માટે રુચિ-અરુચિ, રાગ-દ્વેષ ચાલુ છે.
સભા ઃ- સાહેબજી ! પણ વ્યાખ્યાન સાંભળતાં રાગ આવવો જોઇએ ?
:
સાહેબજી ઃ- ગમતી વસ્તુ હોય તો રાગ ચાલુ થાય, જેમ કે દેવલોકનાં વર્ણનથી તમારા મોઢામાં પાણી છૂટે, પણ તે રાગ બરાબર નથી. તમે સિનેમા જુઓ ત્યારે જેવું પિક્ચર તેવા પ્રતિભાવ થાય છે. જેમ હીરો ફાઇટીંગ કરે ત્યારે હીરો જીતે તો તાનમાં આવો, ગુંડો જીતે તો દ્વેષ થાય; પણ તમે તત્ત્વની વાત સાંભળો અને રાગ થાય તે સારું છે. સાચું છે તેને સારું માનો, તેના પ્રત્યે રાગ થાય તે સારો છે; અને અમે પાપની નિંદા કરીએ તે વખતે પાપ પ્રત્યે દ્વેષ થાય તે પ્રશસ્ત દ્વેષ છે, તેમ ગુણની વાત કરું ત્યારે ગુણ પર રાગ કરો તે પ્રશસ્ત રાગ છે. આમ, અંદર રાગદ્વેષની ચેનલ છે, એક મિનિટ પણ મન શાંત રહેતું નથી. તેને સમતાનો અનુભવ નથી. કોઇને કોઇ કષાયનો ભાવ ચાલુ છે તેથી સમતાનો અનુભવ નથી. કષાય એનો પ્રિય વિષય છે, પછી સારો કે ખરાબ જેવો અવસર મળે તે રીતે ચાલુ રહે છે.
સભા :- નિમિત્તને આધારિત છે ?
સાહેબજી :- એકલા નિમિત્તને આધારિત છે તેવું નથી. એક ઓરડીમાં તમને એકલા
-
પૂરી દઇએ, અંદર તમારા માટે ઇન્દ્રિયોના કોઇ વિષયો ન મૂકીએ, તમને કોઇ હળેમળે નહીં, તો પણ એકલા અંદર બેઠા બેઠા મનમાં કંઇક બખડજંતર ઊભું કરશો, તમારું મન સખણું રહેશે નહિ. કાં તો અંદરથી કંઇ મુદ્દો શોધશે કાં તો બહારથી શોધશે. તેને જે વસ્તુનો રસ હોય તે દુનિયામાંથી ગમે ત્યાંથી શોધી કાઢે. એટલે મનને કષાયમાં જ રસ છે, તેથી નિમિત્ત આપમેળે શોધી કાઢશે અને તોફાન ચાલુ કરશે. અનંત કાળથી જીવે કષાયના આવેગમાં જ સુખ માન્યું છે. આ માન્યતાના કારણે જ જીવનમાં ઊલટી ગંગા ચાલે છે. આવી હજારો માન્યતાઓ છે. મનને કબૂલાત કરાવી તેને પલટવી જોઇએ.
૫૮
કષાય એ દુઃખરૂપ છે, ત્રાસજનક છે, સ્વયં દુઃખ છે. આ બધું મનને કન્વીન્સ કરાવવા મહેનત પડશે, તેના માટે ઉપાય કરવો જ પડશે. જેમ શકટાલને સમજાવવા માટે વરરુચિએ
Jain Education International
For Private & Personal Use Only
**
મનોવિજય અને આત્મશુદ્ધિ
www.jainelibrary.org