________________
મારી તારીફ કરે.” અહીં જુઓ કે મોટા માણસને વાત ગળે ઉતારવા માટે ક્યાં સુધી તેને પહોંચવું પડ્યું ? તેણે કેવી રીતે નાડ પકડી છે ? સેવાના ઓબ્લીગેશનના કારણે મંત્રીપત્નીએ કહ્યું કે “વાંધો નહિ, હું કહીશ.” રાતના મંત્રીશ્વરને કહે છે, “આટલા કંજુસ કેમ થઇ ગયા છો ? કોઇ માણસ મહેનત કરે તો પાણી ફેરવો છો. તમે રાજા પાસે પ્રશંસા કરાવો તો તેને જ્ઞાન-સાહિત્યકળામાં પ્રોત્સાહન મળે.' પત્ની આગ્રહ કરે છે, ત્યારે મંત્રીશ્વર કહે છે કે, લાયક નથી, મિથ્યાર્દષ્ટિ છે; પરંતુ પત્નીના આગ્રહના કારણે છેવટે કબૂલ થાય છે અને રાજા પાસે તેની પ્રશંસા કરાવી. આ રૂપક તરીકે કહું છું. શકટાલને ગળે ઉતારવું અઘરું હતું, છતાં કડી પકડીને કામ કર્યું. તેમ મનને કબૂલ કરાવવું, ગળે ઉતારવું સહેલું નથી. એક વસ્તુને પાકી માનતું હોય તેને નવી માન્યતાથી કન્વીન્સ કરવું રમતવાત નથી. અનાદિથી દૃઢ થયેલી માન્યતાને બદલવી તે ખૂબ અઘરું છે, પણ સમજાવટથી ગળે ઉતારવું જોઇએ.
વિષય-કષાયમાં સુખ એ ભ્રામક માન્યતા - સમતામાં સુખ એ સાચી માન્યતા ઃ
અનંત કાળથી આપણું મન માને છે કે વિષય-કષાયમાં જ મજા છે, કષાયો જ સુખનાં સાધન છે, આ દૃઢ થયેલી માન્યતા છે; માટે ચોવીસે કલાક મન કષાય કરવા સક્રિય છે, દિવસ ઊગે ત્યારથી કષાય માટેનું નિમિત્ત શોધતું હોય છે. કષાય એટલે ખાલી ક્રોધ નહીં. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ બસ તેમાં જ મન પરોવાયેલું રહેવા માંગે છે. ચોવીસે કલાક ક્રિયા શેની છે ? સતત તેમાં જ સક્રિય છે. કષાય ન કરવા કે શાંત રહેવા તે તૈયાર જ નથી, પછી નિમિત્ત હોય કે ન હોય. તમને કાંઇ ચોવીસે કલાક કષાયનાં નિમિત્ત મળતાં નથી, પણ અંદરથી તમે ઊભાં કરો છો. દા.ત. કોઇપણ નવી વસ્તુ સામે આવે તો આસક્તિ થાય, અને કોઇ અણગમતી વાત કરે તો ક્રોધ આવે તે બને, પરંતુ તમને કોઇ વતાવતું ન હોય, તો પણ અંદર ઉલ્કાપાત થાય છે ને ? નવરા બેઠાં કંઇનું કંઇ જૂનું યાદ કરો, ‘તે વખતે પેલાએ મારું કામ નહોતું કર્યું, બહુ ફાટ્યો છે, પણ લાગમાં આવશે ત્યારે સીધો કરી દઇશ,’ આવા અનેક રાગ-દ્વેષના કુવિકલ્પો કર્યા કરો છો. એટલે ક્યાંક ને ક્યાંક રાગ-દ્વેષ માટે મન તક શોધી રહ્યું છે. આપણા બધાના મનનો પ્રિય વિષય કષાય છે. મન સતત તેની રાહ જોઇને બેઠું હોય છે. જેમ બિલાડીને ખબર હોય કે અહીંયાંથી કબૂતર આવે છે, તો શાંત થઇને તાકીને બેસી જાય અને જેવું આવે એટલે તરાપ મારે; તેમ મન તાકીને બેઠું છે, સીધું તક ઝડપી લેવા તૈયાર જ છે. કોઇપણ ક્ષેત્રમાં કે વસ્તુમાં કે વ્યક્તિમાં બધે તે રાગ-દ્વેષની પરિણતિ પ્રગટાવશે. તમે જન્મ્યા ત્યારથી જીવનની એક ક્ષણ પણ સમતા માણી નથી; પરંતુ એક ક્ષણ માટે પણ સમતાનો અનુભવ જો તમને થઇ જાય, તો અમે ખાતરીથી કહીએ છીએ કે જીવ પછી કોઇ પણ
落落落
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
૫૭
www.jainelibrary.org