________________
મંત્રીને સાધવા વરચિએ અપનાવેલી ટ્રીકઃ
સ્થૂલિભદ્રના પિતા શકટાલ નવમા નંદના મહામંત્રી છે. રાજાનો પણ નવમો વંશ છે અને મંત્રીનો પણ નવમો વંશ છે. શકટાલ મહાપ્રજ્ઞાશાળી, બાહોશ, બુદ્ધિશાળી છે. આજ સુધી તેણે રાજકાજમાં દક્ષતા-કુશળતા દાખવી છે. તેથી રાજાને તેને માટે વિશેષ માન છે. તેથી કોઇ પણ કામમાં અભિપ્રાય મંત્રીનો જ લે. કદાચ મંત્રીની મરજી ન હોય અને રાજાને પોતાને ગમતી વાત હોય તો પણ તે લેટ-ગો(જતું) કરે. કારણ રાજા સમજે છે કે આની બુદ્ધિ વધારે છે. માટે રાજયમાં મંત્રીનું આધિપત્ય છે. ત્યાં વરરુચિ નામનો વિદ્વાન છે. તે સાહિત્યકળામાં વિશેષ જાણકાર છે. તે તત્કાલ અદ્ભુત કાવ્ય બનાવી શકે છે. ઘણી વિદ્વત્તા હોવાના કારણે તેને થાય છે કે મારી રાજસભામાં કદર થાય, જેથી આખી દુનિયામાં મારી ખ્યાતિ થઈ જાય. માટે તે રોજ રોજ સભામાં આવે છે અને સાહિત્યકળાની વાતો કરે છે. એને રાજાને પ્રભાવિત કરવો છે, અને રાજા પ્રભાવિત થાય ત્યારે નિયમ શું? એની તારીફ કરે. તેની વિદ્વત્તાથી રાજાને માન પણ થાય છે. પરંતુ વિચારે છે કે કોઈ પણ માણસને રાજસભામાં મહત્ત્વ આપવું કે નહિ? કારણ ભવિષ્યમાં કદાચ જોખમ પણ ઊભું થાય. માટે શકટાલ મંત્રી કહે તો જ મહત્ત્વ આપું. તેથી દરરોજ શકટાલના મોં સામે જુએ, પરંતુ શકટાલ તો પ્રભુના પરમ ભક્ત છે-શ્રાવક છે. તે વરરુચિને પગની પાનીથી ચોટી સુધી ઓળખી ગયા છે. તેમને લાગે છે કે આ જીવ લાયક નથી. લુચ્ચો-સ્વાર્થી છે અને મિથ્યાદષ્ટિ છે. તેની પ્રશંસા કે આદર કરવામાં આવે તો મિથ્યાત્વને પોષણ મળશે, તેની લુચ્ચાઈ અને વાર્થના કારણે પણ નુકસાન થશે; માટે રાજા જયારે તેમનું મોં જુએ ત્યારે કંઈ વિશેષ ભાવ ન બતાવે, તેથી રાજા તારીફ ન કરે. હવે ઘણા દિવસ સુધી આમ ચાલ્યું. પરંતુ વરરુચિને તો રાજા તરફથી પ્રશંસા-તારીફ મેળવવી છે, પણ મેળવવી કઈ રીતે? તેને ખબર પડી કે અહીંયાં મંત્રીનું વર્ચસ્વ છે, માટે મંત્રી કહે તો જ તારીફ થાય. તો હવે મંત્રીને સાધવો કઇ રીતે? તેણે તપાસ ચાલુ કરી પણ કશાથી પણ દાળ ગળે તેમ નથી. માટે છેલ્લે વિચાર કર્યો કે મંત્રીને સાધવાની નાડ શું છે? મંત્રી ઉપર, ચાલી શકે તેવું કોનું વર્ચસ્વ છે? ખબર પડી કે તેની પત્નીનું વર્ચસ્વ છે. સંસારના સ્નેહના કારણે પત્નીની વાત આવે ત્યારે ભલભલા ઢીલા પડતા હોય છે. હવે જો તેની પત્નીને સાધવામાં આવે તો મારું કામ થઈ જાય. તેથી મંત્રીને ત્યાં વેશ પરિવર્તન કરીને તેણે જવાનું ચાલુ કર્યું. સામાન્ય માણસ તરીકે તેની પત્નીનું બધું જ ઘરકામ કરાવે, વાસણ માંજે. આમ કરતાં કરતાં તેની સાથે પ્રીતિ પેદા કરી અને તેનું દિલ જીતી લીધું. એક દિવસ તેની પત્ની કહે છે કે “તું મારી આટલી સેવા-સુશ્રુષા કરે છે, તે માટે હું તારા પર ખૂબ ખુશ છું. માટે તારું કોઇ કામ હોય તો કરી આપું.” ત્યારે વરરુચિ બરાબર મોકો જોઇને કહે છે, “મંત્રીશ્વરને કહો રાજસભામાં
જ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * *
૫૬
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org