SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શાને સાચું કહ્યું છે? અને શાને ખોટું કહ્યું છે? મને તે સાચું અને સારું કેમ નથી લાગતું? મારે ક્યાં ગરબડ છે? મને શું વાંધો છે? આ રીતે અવલોકન દ્વારા ખ્યાલ આવે, પછી જ તેની શુદ્ધિ કરવાની પ્રક્રિયા થાય છે. પરંતુ ઘણાને અત્યારે અંદરમાં શું લોચા છે તેની જ ખબર નથી. ભગવાન પાસે જઈને ખૂબ જ ભક્તિ કરે, ત્યારે થાય કે હું તેમનો ભક્ત છું; પણ તે વખતે જાતને પૂછો કે હું ભક્તિનો અધિકારી છું ખરો? ભગવાને ઉપદેશેલી બધી વાત મને ગમે છે? ભગવાને જેને ખોટું-ખરાબ કહ્યું તેને હું સાચું-સારું કેમ માનું છું? જો આવું જ હોય તો ભક્ત કહેવડાવવા હું લાયક નથી. આ વાત તમારા અને અમારા બન્ને માટે છે. અમે પણ તેમનું એક પણ તત્ત્વ ન માનીએ કે પ્રભુએ કહેલાથી ઊલટી વાતમાં જ અમને રસ હોય, આગ્રહ હોય તો અમારી પણ ઊંધી માન્યતા છે; અને તે મિથ્યાત્વ છે. જ્યાં સુધી મનનું સંશોધન ન કરો ત્યાં સુધી ઘણો પુરુષાર્થ નકામો જાય છે. - બધા પૂછે અવિનો જીવ મોક્ષે ન જાય? હા, વાત સાચી છે, પણ કેમ? અભવિનો જીવ પોતાની બધી માન્યતાઓને ભગવાનની આજ્ઞા પ્રમાણે મેચનસંગત) કરી શક્તો જ નથી. તે પોતાના જીવનમાં બીજી બધી શુદ્ધિ કરે છે પણ ગરબડ ક્યાં? કદાચ ૨૫, ૫૦ ટકા તેની માન્યતા ટેલી થાય પણ ૧૦૦% તો ટેલી થતી જ નથી; અને આ જ એનો મોટો પ્રોબેક(ખામી) છે, તેની ઊણપ છે; મથામણ કરીને થાકી જાય, પણ મનને કબૂલ કરાવી શકે તેમ નથી કે, વિષય-કષાય દુ:ખરૂપ છે અને આત્મામાં અનુપમ સુખ છે. બસ, આ જ તે અંદર નક્કી કરાવી શકતો નથી; અને તે જ કારણે અવિનો જીવ રખડે છે. તે શ્રદ્ધાથી જિનવચનને માની લે છે, પણ તેનું મન અનુભવથી કબૂલાત કરતું નથી. માટે જ વિચારજો , સાધનામાં માન્યતાનું મહત્ત્વ કેટલું છે! તેના કારણે જ તેનો પુરુષાર્થ નકામો જાય છે. ભવિ જીવ પણ આની શુદ્ધિ ન કરે તો તેનો પુરુષાર્થ પણ એળે જાય છે. ઘણા જીવ ધ્યાન કરે છે, ભાવના-ચિંતન-મનન પણ કરે છે; પણ મુશ્કેલી એ કે મનમાં ગોટાળારૂપે માન્યતા ખોટી પડેલી છે. માટે તેના લાખો પ્રયત્ન પણ નિષ્ફળ જવાના. આ એક ભારેખમ નિદાન છે, ગભરાઈ જવાય તેવું, પણ સત્ય નિદાન છે; શાસ્ત્રની દૃષ્ટિએ ચોકસાઇપૂર્વકનું છે. મિથ્યાત્વ તોડ્યા વગર અને સમકિત પામ્યા વગર, આત્મા ગમે તેટલો ચારિત્રથી ભાવિત થાય કે જ્ઞાન ગમે તેટલું મેળવે, પણ તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે; અને ચારિત્ર પણ દ્રવ્ય ચારિત્ર જ છે. એટલે માન્યતાનો મહિમા સમજો. માન્યતા કેવી રીતે પલટવી તેની પ્રક્રિયા છે. જેમ પુણ્યશાળી પણ બુદ્ધ હોય તો તેને સમજાવવા માટે કે તમારી વાત ગળે ઉતારવા માટે એમ ને એમ કહો તો વાત તેને ગળે ઊતરે નહિ, પણ એના માટે ટ્રીક જોઇએ. તેમ મનને મનાવવા ટ્રીક જોઇએ. તે એક કળા છે. શાસ્ત્રમાં દષ્ટાંત છે તે વિચારીએ. મનોવિજય અને આત્મશુદ્ધિ ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy