SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારો અશુભ છે તે મોટે ભાગે લબ્ધિમનની ગંદકીનો જ ઊભરો છે. જે કૂવામાં હોય તે હવાડામાં આવે. તમારા વિચારમાં અહંકાર, ક્રોધ, માયા, માન આવે છે તે બધું પ્રકૃતિમાં હોય કે અંદર પડેલું હોય તો જ સપાટી પર ઊભરાય છે. અંદરથી બહાર આવે છે, કાંઈ બહારથી અંદર જતું નથી. અંદરમાં છે તે નિમિત્ત મળતાં ઊભરાય છે અને સપાટી પર આવે છે. માટે અશુદ્ધિ અંદરમાં જ છે, જે તળિયે જામ થઈ ગયેલ છે; માટે ખાલી ઉપરથી સાફ કરીએ તો ન ચાલે. હવે તેને સંશોધન કરવા માટે કડી કઈ પકડવી? હું માન્યતામાં શું માનું છું? ક્યાં હું સાચું માનું છું? ક્યાં હું ખોટું માનું છું? આ રીતે વિશ્લેષણ કરવા માંડશો એટલે ધર્મની દિશામાં ગતિ થવા લાગશે. મુહપત્તિ પડિલેહવામાં જે પહેલો બોલ મૂક્યો તે મહાશરત છે. તમે તો ખાલી બોલી જાઓ છો, પણ તે શરતથી બંધાતા નથી. સામાયિક પારો ત્યારે બોલો ને “સામાયિક પારું ?” ત્યારે અમે કહીએ “પુનરવિ વાયવ્યં ” એટલે તમે બોલો, “યથાશક્તિ.” પછી તમે આગળ કહો “સામાયિક પાર્યું.” ત્યારે અમે કહીએ કે “યારો રમોત્તવ્યો" ત્યારે તમે બોલો, “તહત્તિ.” આ બોલો છો તે અમને મોઢેથી ખુશ કરવા બોલો છો ને? તમે યથાશક્તિ કરવાના છો? અમે “હા, પારી દો,” તેવું તો ન જ કહીએ. પણ કહીએ કે “ફરીથી કરવા જેવું છે.” એનો સ્વાદ ચાખીને મજા આવી હોય તો કરવા જેવું છે. ત્યારે અમને બાંહેધરી શું આપો છો? “યથાશક્તિ” તે તમે દિલથી બંધાઓ છો? તમારી સ્થિતિ શું છે? પચાસ બોલમાં પહેલો બોલ આ જ મૂક્યો છે. આના વગર બધું નકામું છે. જિનેશ્વરના વચનને સત્ય ન માનો પછી ગમે તેટલી ઉપાસના કરો પણ શું મતલબ? ભગવાનના પગમાં પડો, ભક્તિ અપાર કરો, તેની સામે ઉલ્લાસથી નાચો પણ ખરા, પણ તેમની કહેલી વાતોને સાંભળવા માત્રથી રીસ ચઢતી હોય તો તે ભગવાનની ભક્તિનો મતલબ કેટલો? તમે ભગવાન સાથે જે વ્યવહાર કરો છો તેવો વ્યવહાર તમારી સાથે જો કોઈ કરે તો તમે તેને શું કહો? આ તો બનાવટી છે, દંભી છે, અનાડી છે એમ જ કહો ને? જેમ દીકરો દરરોજ તમારા પગમાં પડે, હાથ જોડે, પણ તમારું કહ્યું ન માને; હિતકારી સલાહ પણ ન માને, પરંતુ હાથ જોડે તો તમે શું કહેશો? “તું હવે બનાવટ કરવાનું રહેવા દે.” આ તો ભગવાન તમને કાંઈ બોલતા નથી માટે મજા પડી ગઈ છે, પણ જો કાન પકડે તો શું હાલત થાય? ધર્માનુષ્ઠાનોમાં જે શરતો મૂકી છે તેમાં તમારે પ્રાથમિક શરતો પણ પૂરી થતી નથી, કારણ હજી મનની માન્યતાનું સંશોધન થયું નથી. માટે પ્રત્યેક ક્રિયામાં માન્યતાનું મહત્ત્વ ઘણું જ છે અને તેનાથી જ આત્મામાં ચિત્તશુદ્ધિ સ્થાપિત થાય છે. હવે ધર્મના ક્ષેત્રમાં પગલું માંડ્યા પછી વિચારો, પ્રકૃતિ, સંસ્કાર બદલવાનાં છે; પણ તે બધામાં પહેલાં માન્યતા બદલવાની છે. તે બદલવા દરરોજવિચાર કરવા પડે કેજિનેશ્વરદેવોએ ૫૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy