SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ભલે પછી અજૈનમાં જન્મેલો હોય, ગમે તે અવસ્થામાં હોય; પણ જો તે ભગવાને કહેલા તત્ત્વને માને તો તેના ભગવાન છે. માટે તમે દેરાસર આવો ત્યારે ચાંદલો કરો પછી જ અંદર જાઓ છો. તમને થાય કે જેમના ચરણમાં નમસ્કાર-વંદના કરું છું, તેમની આજ્ઞા ભલે કદાચ આચરણરૂપે જીવનમાં પ્રાપ્ત ન થઇ હોય પણ શ્રદ્ધારૂપે તો મારામાં છે જ. તેમણે કહેલો ઉપદેશ મને ગમે છે, હું સ્વીકારું છું; એની ખાતરી માટે જ આ ચાંદલો કરું છું. પરંતુ આ ન સમજનારા કહે છે ભગવાન બધાના છે. માટે જ અત્યારે આપણાં તીર્થો ટુરીસ્ટ સેન્ટર બની ગયાં છે. પાલીતાણા માટે હમણાં ટાઇમ્સમાં જાહેરાત આવેલી, “સીટી ઓફ ધ ટેમ્પલ. ટુરીસ્ટોને કલાકૃતિ, પ્રાચીન ભારતીય શિલ્પ જોવા માટે મંદિરોનું નગર જોવા જેવું છે.” અને આવું વાંચીને આપણા જૈનો હરખાય છે. ઘણા કહે, એ બહાને બધા દર્શન કરે છે ને? દેલવાડામાં પણ આવા લાખો લોકો આવે છે. પણ તે વાજબી નથી અને આવો કાંઈ હક પણ તેમને નથી. છતાં આની સામે તમે પાછો વાંધો પણ ઉઠાવતા નથી. આ તો ઉપાસનાનાં ધામ છે. તેને ટુરીસ્ટ સેન્ટર તરીકે કેવી રીતે ગોઠવાય? સરકારે તેને કમાવાનાં સાધન બનાવી દીધાં છે. પરંતુ આ વાસ્તવમાં ધર્મસ્થાનકોનો દુરુપયોગ છે. તેની સામે કાયદેસર વિરોધ જૈનો નોંધાવી શકે તેમ છે. પરંતુ અફસોસ એ છે કે જૈનો જ આવી પ્રવૃત્તિને વધાવે છે. પણ હકીકતમાં આ રીતે પ્રવેશવાનો તેમને અધિકાર જ નથી, અને કોઈ આ રીતે ઘૂસી જાય તો તેને ઘૂસણખોરી જ કહેવાય. - હવે તમે તમારું સામાયિક જુઓ. તેમાં તમે “કરેમિ ભંતે' ઉચ્ચરો ત્યારે જ સામાયિક લીધું કહેવાય. તેના પહેલાં મુહપત્તિ પડિલેહવાની આવે. તેમાં પહેલો બોલ શું મૂક્યો? પહેલી તમારી પાસે શરત શું કરાવી? જિનેશ્વરદેવોએ શાસ્ત્રરૂપ જે જિનવચનો કહ્યાં છે, તેના સૂત્ર-અર્થની તસ્વરૂપે હું શ્રદ્ધા કરું છું. જિનેશ્વરે કહેલું તત્ત્વ જ જગતનું સાચું તત્ત્વ છે, બાકી બધું નકામું છે. આનો અર્થ એ થયો કે ધર્મના ક્ષેત્રમાં પહેલાં માન્યતાનું પરિવર્તન માંગે છે. માન્યતાને બદલ્યા વગર સાચા આરાધક બની શકાય નહીં. કોઈપણ ધર્મશૂન્ય વ્યકિત હોય, અને મહારાજના પરિચયથી ધર્મ પામે, એટલે પહેલાં શું થાય? માન્યતાનું પરિવર્તન. જેમ નયસારના જીવે મહાત્માના પરિચયમાં આવી દેશના સાંભળી અને તેમનામાં પરિવર્તન આવ્યું, એટલે શું થયું? અત્યાર સુધી તેઓ જે તત્ત્વને માનતા હતા તેને ખોટું માનીને છોડ્યું અને નવું સાચું તત્ત્વ માન્યતારૂપે અપનાવ્યું અને તેથી જ સમકિત પામ્યા. માન્યતાને તેમણે મૂળમાંથી પલટી નાંખી. જ્યારે મિથ્યાત્વમાં હતા ત્યારે ઊંધી માન્યતાથી ઘેરાયેલા હતા. હવે ઘણા કહે, મનને કાબૂમાં કઈ રીતે લેવું? પરંતુ તમે ગમે તે રીતે કૂદાકૂદ કરશો તો મન કાબુમાં નહિ આવે. ખરાબ વિચાર આવે છે તેને પ્રોસેસથી કામ લેશો તો તે બદલાશે. જે મનોવિજય અને આત્મશુદ્ધિ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy