SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે કોઈ મોટો માણસ હોય, પુણ્યના કારણે મોટો બની બેઠો હોય, આમ બુદ્ધ હોય, પણ તેને કાંઇ વાત કરવી હોય તો શું કરો ? જો એ વાત તેને ગળે ન ઊતરે તો તમને ઉલાળી દે ને? માટે સમજણથી કામ લેશો ને? સંસારમાં નિયમ છે કે મોટા માણસને વાત ગળે ઊતરી જાય તો બધું કામ સહેલું થઈ જાય. તેમ એક વખત મનને કબૂલ કરાવવું તે એક કસોટી છે, પણ ધર્મના પાયાના સિદ્ધાંતો મનને જો કબૂલ કરાવી શકો તો મન તમારા કહ્યા પ્રમાણે કામ કરતું થઈ જશે. સભા - કબૂલ કઈ રીતે કરાવવું? સાહેબજી :- તે જ લાંબી પ્રક્રિયા છે. આપણે આગળ વિચારી ગયા તે પ્રમાણે મનના વર્ણનમાં પહેલાં મનના બે પ્રકાર બતાવ્યા: દ્રવ્યમાન અને ભાવમન. ભાવમનના બે પ્રકાર છે: ઉપયોગમન અને લબ્ધિમન. લબ્ધિમનમાં સૌથી પહેલું શું બતાવ્યું? માન્યતા. આપણા મનમાં અનાદિ કાળથી ઊંધી માન્યતા ઘર કરીને બેઠી છે, માટે જ મનનો પુરુષાર્થ ઊંધી દિશામાં થાય છે. જે સાચું છે તેને ખરાબ માની બેઠું છે અને જે ખરાબ છે તેને સાચું માની બેઠું છે; જે હિતકારી છે તેને અહિતકારી માની બેઠું છે અને જે અહિતકારી છે તેને હિતકારી માની બેઠું છે; જે સુખ છે તેને દુઃખ માની બેઠું છે અને જે દુઃખ છે તેને સુખ માની બેઠું છે. આ નટશેલમાં(ટૂંકામાં) આપણી માન્યતાનો ચિતાર છે, જે અનંત કાળથી દઢ થઈ ગયેલ છે, અસ્થિમજ્જાની જેમ વણાઈ ગયેલ છે. જયાં સુધી આને પલટી ન શકો ત્યાં સુધી મન સાચી કબૂલાત ન કરે. માન્યતા બદલવી એટલે જિનેશ્વરદેવોએ જે તત્ત્વ કહ્યું છે તેની મન પાસે કબૂલાત કરાવી લેવી. તેમણે કહેલું તત્ત્વ જ સત્ય છે. આપણે બોલીએ છીએ, “તમેવ સર્ચો...” જિનેશ્વરદેવોએ જે તત્ત્વ બતાવ્યું છે તે જગતનું પરમ સત્ય છે અને જે ખોટા તરીકે બતાવ્યું છે તે જ અસત્ય છે. જૈનશાસનની બધી ક્રિયામાં પહેલાં શ્રદ્ધા-કબૂલાત મૂકી છે. જેમ કે તમે પૂજા-દર્શન કરવા જાઓ ત્યારે પહેલાં ચાંદલો કરો? પહેલું તિલક તમને કે ભગવાનને? હકીકતમાં પૂજા કરવા માટે અધિકારી ક્યારે બનો? દેરાસરમાં પ્રવેશનો હક કોને? જે ભગવાનની આજ્ઞાને હૃદયથી માને તેને જ. જેને પ્રભુનો ઉપદેશ નથી ગમતો, જે હૃદયથી આજ્ઞા સ્વીકારવા તૈયાર નથી તેને દર્શન-પૂજાનો અધિકાર નથી. દેરાસરમાં ગમે તે ઘૂસી શકે ખરો? આપણા ભગવાન બધાના છે, તેવું કહેનારા અત્યારે ઘણા છે. પરંતુ મહાવીરસ્વામી આખી દુનિયાના નથી. જે એમની વાતને માને તેના જ છે. જે દીકરો બાપને બાપ તરીકે ન માનતો હોય તે સાચો દીકરો છે કે નામનો જ દીકરો કહેવાય? તેની જેમ અહીંયાં પણ જિનેશ્વરદેવે કહેલાં તત્ત્વને માને, ર ક ક ક ક ક ક = * * * * * * * * * * એક કે કેમ જ ક ય ક ક ક ક ક ક ક કે ક ક એક મકર ૫૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy